સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે પંચામૃત કાર્યક્રમ

સુરેન્દ્રનગર સ્થિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનાઅધ્યક્ષસ્થાને ડાયટેશ્વર મહાદેવની સ્થાપના, સુરેન્દ્રનગર જિલ્લાના વીર શહિદોનીસ્મુતિમાં અમર જવાન શદીહ સ્મારકનું અનાવરણ, ડાયેટના જુદા જુદા વર્ગખંડોનું નામકરણ, ભૂતપૂર્વ પ્રશિક્ષણાર્થીઓનું સ્નેહમિલન અનેપદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનું સન્માન સહિતનો પંચામૃત કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે મંત્રીશ્રીએ મહાશિવરાત્રીનીશુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, આજનો પંચામૃત કાર્યક્રમએ ગુણાત્મક અનેભાવનાત્મક છે, આવા કાર્યક્રમોથી સમાજમાં એક હકારાત્મક વાતાવરણ ઉદભવે છે. વધુમાંતેમણે શિક્ષણ ક્ષેત્રની સિદ્ધીઓ વર્ણવતા ઉમેર્યુ હતું કે, છેલ્લા ત્રણ વર્ષની અંદર૧.૫૦ લાખથી વધારે વિદ્યાર્થીઓએ તબક્કાવાર ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં પ્રવેશમેળવ્યો છે. આજે સરકારી શાળામાં વિદ્યાર્થીઓને અત્યાધુનિક સુવિધાઓ સાથે શિક્ષણ આપવામાંઆવે છે.
આ તકે તેમણે દેશ-વિદેશમાંરહેતા તમામ ગુજરાતીઓને વિશ્વ માતૃભાષા દિવસની શુભેચ્છા પાઠવતા ઉમેર્યુ હતું કે, વિશ્વમાતૃભાષા દિવસને ધ્યાને લઈને રાજ્ય સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં ધોરણ ૧ થી ૧૨માં તબક્કાવારગુજરાતી વિષયને ફરજીયાત કર્યો છે.આ પ્રસંગે જિલ્લામાં યોજાયેલ ઇસરોપ્રદર્શનમાં શ્રેષ્ઠ કામગીરી કરનારને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યાહતા તેમજ જિલ્લાના શહિદ પરિવારોને મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે સન્માનિતકરવામાં આવ્યા હતા. રાજસોભાગ આશ્રમ સાયલા દ્વારા ડાયેટને દિવ્યાંગો માટેવ્હિલચેરનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પદ્મશ્રી શાહબુદ્દીનરાઠોડે શહિદ પરિવારોનું સન્માનએ સમગ્ર દેશનું સન્માન છે તેમ જણાવી આ પંચામૃતકાર્યક્રમને બિરદાવ્યો હતો. આ પંચામૃત કાર્યક્રમનાપ્રારંભમાં ડાયેટના પ્રાચાર્યશ્રી સી.ટી. ટુંડિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું તેમજઅંતમાં જે. જે. જોષીએ આભારવિધી કરી હતી. આ પ્રસંગે સાંસદ ડો.મહેન્દ્રભાઈ મુંજપરા, ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલ, જી.સી.ઈ.આર.ટી.ના નિયામકશ્રી ડો.ટી. એસ. જોશી, અગ્રણી સર્વશ્રી વર્ષાબેન દોષી, દિલીપભાઈપટેલ, જગદિશભાઈ ત્રિવેદી, બિહારીભાઈ ગઢવી, જગદિશભાઈ મકવાણા, શહિદ પરિવારજનો સહિત મોટી સંખ્યામાં તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
દિપકસિંહ વાઘેલા (લીંબડી)