રાજકોટ માં મહાનગરપાલિકા દ્વારા ડેન્ગ્યુ-મેલેરિયા જેવા વાયરસથી બચવા ખાસ ચેકિંગ

રાજકોટ માં મહાનગરપાલિકાએ ડેન્ગ્યુ મેલેરિયા વાયરસથી થતો અને મચ્છર ઘ્વાારા ફેલાતો રોગ છે. ડેન્ગ્યુ નો મચ્છર (એડિસ) ચોખ્ખાન પાણીમાં ઘરની અંદર રહેલ નાના નાના પાત્રોમાં ઈંડા મુકે છે. તેના પોરા પાણીમાં ખુણો બનાવીને, જાણે ઊંધે માથે લટકતી સ્થિતિમાં તરે છે. તેને નરી આંખે સહેલાઈ થી જોઈ શકાય છે. આ મચ્છર ટાઈગર મચ્છર તરીકે જાણીતો છે. રંગે કાળો અને શરીરના પ્રુશ્ઠ ભાગ પર સફેદ રંગના ટ૫કા ધરાવે છે. અને આ મચ્છર ચેપી હોય તો ડેન્ગ્યુ નો રોગ ફેલાવે છે. જયાં ઉત્૫ન્નન થાય છે. ત્યાં જ રોગ ફેલાવે છે. તેની ઉડયન ક્ષમતા ઓછી, આશરે ૧૦૦ મીટર હોવાથી, આ મચ્છનર ઘર કે કાર્યસ્થળે પાણીના સંગ્રહ્સ્થાનોમાં ઇંડા મુકતા જોવા મળે છે. ડેન્ગ્યુના લક્ષણો :- સખત તાવ માથાના આગળના ભાગમાં દુખાવો અને કમરમાં દુખવો. આંખની પાછળ દુખાવો જે આંખના હલનચલનથી વધે છે. સ્નાયુ અને સાંધાનો દુખાવો. છાતી અને હાથ પર ઓરી જેવા દાણા. ઉબકા-ઉલટી. ભુખ ન લાગવી અને બે સ્વાદ, કબજીયાત. ડેન્ગ્યુ દિવસે કરડતા એડિસ ઈજીપ્તી મચ્છર દ્વારા ફેલાય છે. આ એડિસ ઈજીપ્તી મચ્છર આપણા ઘરમાં જ પાણી ભરેલ પાત્રો અથવા વરસાદી પાણી જમા થતુ હોય તેવી જગ્યાઓએ ઉત્પન્ન થાય છે. જેમ કે સીમેન્ટની ટાંકી, સીડી નીચેની ટાંકી, સિન્ટેક્ષની ટાંકી, બેરલ, પીપ, ટાયર, ડબ્બા ડુબ્લી વગેરે ભંગાર, પક્ષીકુંજ, પશુના પાણીના અવાડા, નાળીયેરની કાછલી, છોડના કુંડા, તેની નીચે રાખેલ પ્લેટ, ફ્રિજની પાછળની ટ્રે, માટલા, સુશોભન માટેના ફુવારા, અગાસી, છજજામાં જમા થતુ વરસાદી પાણી, મનીપ્લાન્ટ, અન્યમ પ્લાન્ટ માટેની કાચની બોટલ વરસાદના વિરામ બાદ સ્થિર અને બંધિયાર ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છર ઈંડા મુકે છે. આ ઈંડામાંથી પ્રથમ પોરા ત્યાર બાદ પ્યુપા તથા પુખ્ત મચ્છર બને છે. આમ ઈંડામાંથી પુખ્ત મચ્છર બનતા ૭ થી ૧૦ દિવસનો સમય લાગે છે. એડિસ પુખ્ત મચ્છર જો ડેન્ગ્યુ વાઈરસથી ચેપી હોય તો ડેન્ગ્યુથી ચેપી બનેલ મચ્છરના કરડયા બાદ માણસના શરીરમાં કિટાણું દાખલ થયા પછી લીમ્ફ ગ્લાન્ડમાં તેની વૃધ્ધી થાય છે. વિષાણુઓના પુરતા પ્રમાણમાં વૃધ્ધી થયા બાદ વ્યકિતને ૭ થી ૧૦ દિવસમાં ડેન્ગ્યુના લક્ષણો દેખાય છે. જેને ઈન્કયુબેશન પિરીયડ કહેવામાં આવે છે. સામાન્ય રીતે વરસાદ બાદ ૧૪ થી ર૦ દિવસ બાદ ડેન્ગ્યુ રોગનો ફેલાવો ચાલુ થાય છે. આથી ડેન્ગ્યુ રોગ નિયંત્રણ માટે લોકોએ સ્વયં જાગૃત રહિ ધરની સફાઈ કરવી જોઈએ. મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા તથા નાયબ કમિશનરશ્રી આશિષ કુમાર લોકોને ખાસ અપીલ છે. કે દરેક નાગરિક ડેન્યુ લો નિયંત્રણ અંગેની આ ઝુંબેશમાં જોડાય. દર રવિવારે સવારે ૧૦ કલાકે માત્ર ૧૦ મિનિટ ફાળવી આ૫ની ઘરની અંદર તથા ઘરની આસપાસ ૧૦ મીટરના એરિયામાં પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા તથા બિનઉ૫યોગી પાણી ભરાયેલું હોય તો નિકાલ કરવો તથા આ માહિતી અન્ય ૧૦ વ્યકિતઓને જણાવવી. માત્ર ૧૦ મિનીટ આ૫ને તથા આ૫ના ૫રિવારને વાહક જન્ય રોગોથી બચાવશે. રાજકોટ શહેરમાં જોવા મળતા મુખ્ય ઉત્પતિ સ્થાનો મચ્છર ઉત્પતિ સ્થાન ઉત્પતિ અટકાવવાના ઉપાય ૫ક્ષી કુંજ હાલમાં કુદરતે ૫ક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરેલ હોય બની શકે તો ૫ક્ષીકુંજ ન ભરવા અને ઉંધાવાળી દેવા. ૫ક્ષીકુંજ ભરવામાં આવે તો દરરોજ પાણી ખાલી કરી નવું ભરવું તથા અંદરની સપાટી કુચાથી ઘસીને સાફ કરવી. છોડના કુંડા, છોડના કુંડામાં માટીમાં શોષાય તેટલું જ પાણી નાખવું. વરસાદનું પાણી કુંડામાં જમા થાય તો વરસાદ રહ્યા બાદ કુંડીમાંથી પાણી ખાલી કરવું. ટાયર બિનજરૂરી ટાયરનો નીકાલ કરવો. જરૂરીયાતના ટાયરમાં વરસાદી પાણી ન ભરાય તેવી જગ્યાએ રાખવા. નળીયા ૫ર તાલ૫ત્રી ૫ર વજન તરીકે રાખેલ ટાયરમાં માટી ભરવી અથવા ટાયરમાં હોલ રાખવા જેથી વરસાદી પાણી ભરાય નહીં. સિમેન્ટની ટાંકી, જમીન ઉ૫ર રાખવામાં આવેલ સિમેન્ટ ટાંકીને ક૫ડુ બાંઘી હવાચુસ્ત ઢાંકીને રાખવા. સિન્ટેક્ષની ટાંકી, સિન્ટેક્ષની ટાંકીને ઢાંકણ હવાચૂસ્ત ઢાંકેલ છે. તે ચકાસવું. આઉટલેટ માટે રાખેલ પાઉ૫માં પાતળુ ક૫ડુ રાખી બંઘ કરવું. છોડના કુંડા નીચે રાખેલ ટ્રે, થાળી એ અન્ય પાત્ર છોડના કુંડા નીચે ટ્રે, થાળી કે અન્ય કોઇ વસ્તુ રાખવી નહીં કે જેથી તેમાં પાણી જમા થાય. ભંગાર બિનજરૂરી ભંગારનો તાત્કાલીક નિકાલ કરવો. જરૂરી વસ્તુઓને વરસાદી પાણી ભરાઇ નહિં, તેવા સ્થળે સ્થાળાંતર કરવું. નળની કુંડી, પાણી ગયા બાદ કુંડીને ખાલી કરી ક૫ડાથી સાફ કરવી. નાંદ ઢાંકણ હવાચૂસ્ત ઢાંકેલ છે તે ચકાસવું. નાંદની આજુબાજુ પાણીનો ભરાવો ન થાય તે રીતે પાણીનો નિકાલ થાય છે તે ચકાસવું. સીડી નીચે ટાંકો દર અઠવાડિયે અંદરની સપાટી કુચાથી ઘસીને સાફ કરવી. અગાશી કે છજજામાં જમા વરસાદી પાણી. વરસાદી પાણીને ફેલાવીને સુકવી દેવું અથવા તેનો નિકાલ કરવો.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.