જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫મી જન્મજયંતીની ઉજવણી કરાઇ

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫મી જન્મજયંતીની ઉજવણી કરાઇ
જૂનાગઢ : જૂનાગઢ કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજ દ્વારા તા.૨૩ જાન્યુઆરી ૨૦૨૨ને રવિવારના સવારે ૯ કલાકે નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫મી જન્મજયંતી નિમિત્તે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ તથા કૃષિ ઈજનેરી વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો.એન.કે.ગોંટીયા, વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિ નિયામક ડો.વી.આર.માલમ વિવિધ ફેકલ્ટીના પ્રિન્સીપાલ અને ડીનશ્રીઓ સંશોધન ઇજનેરશ્રીઓ, અધિકારીશ્રીઓ, પોલીટેકનીક કોલેજના સ્ટાફ, કર્મચારીશ્રીઓએ અને કૃષિ ઈજનેરી કોલેજના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
કાર્યક્રમના સફળ સંચાલન માટે કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજના જીમખાના ચેરમન ડો.સંજય ચોલેરા, હિરેન દલસાણીયા, મિતેશ દવે, પ્રતિક પંડ્યા, વિપુલ ભટ્ટ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
આસિ.એડિટર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756