દાંતાથી અંબાજી માર્ગ વધુ ૧૦ દિવસ માટે બંદ કરાયો
ગુજરાતના લોકપ્રિય શક્તિપીઠ અંબાજી ની ગણના દેશના સૌથી મોટા શક્તિપીઠ તરીકે થઇ રહી છે આ ધામમાં જવા માટે વિવિધ પ્રકારના રસ્તાઓ સંકળાયેલા છે પરંતુ દાંતા થી અંબાજી માર્ગ ચાર માર્ગીય કરવાની કામગીરી ખુબજ ગોકળ ગતિએ ચાલી રહી છે, 120 દિવસ કરતા વધુ સમય થઇ ગયો હોવા છતાં પણ આ માર્ગ હજી સુધી બંધ જોવા મળે છે, 15 માર્ચ 2020 ના રોજ બનાસકાંઠા કલેકટરનું જાહેરનામું પૂર્ણ થયું હોઈ આજે બનાસકાંઠા કલેકટર કચેરી તરફથી દસ દિવસ વધુ આ માર્ગ બંધ રહેશે તેવું જાહેરનામું બહાર પાડવામાં આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો
યાત્રાધામ અંબાજી જવાનો રસ્તો વધુ ૧૦ દિવસ સુધી બંધ રહેશે
અંબાજી ત્રિશુળીયા ઘાંટાની રસ્તાની કામગીરી ચાલુ હોવાથી દાંતાથી અંબાજી રસ્તોં તા. ૨૫ માર્ચ સુધી બંધ રહેશે. દાંતાથી અંબાજી રસ્તા ઉપર ત્રિશુળીયા ઘાંટા ઉપર અકસ્માતો નિવારવા માટે પ્રોટેકશન વોલ, રસ્તાને પહોળો કરવાની તેમજ ઘાંટો ઉતારવાની કામગીરી પ્રગતિ હેઠળ હોવાથી તેમજ સદરહું હયાત રસ્તાની હીલ કટીંગ માટે ત્રિશુલીયા ઘાંટામાં ચેઇનેજ કી.મી. ૧૦૦/૮૦૦ થી ૧૦૩/૦૦ રસ્તાની પહોળાઈ વધારવા માટે રસ્તાનો ટ્રાફીક ચાલુ રાખી શકાય તેમ નથી.
આ રસ્તો અકસ્માત સંભવિત હોઇ અંબાજી જવા માટે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, બનાસકાંઠા પાલનપુર શ્રી સંદીપ સાગલે, (આઇ.એ.એસ.) ને ગુજરાત પોલીસ અધિનિયમ- ૧૯૫૧ની કલમ-૩૩ (૧) ખંડ (ખ) અન્વયે મળેલ સત્તાની રૂએ જાહેરનામું પ્રસિધ્ધે કરી તા.૧૬/૦૩/૨૦૨૦ થી તા.૨૫/૦૩/૨૦૨૦ સુધી (બંને દિવસો સહિત) અંબાજીનો રસ્તો બંધ કરી તેના વિકલ્પે આ રસ્તા ઉપરનો વાહન વ્યવહાર દાંતા-કણબીયા વાસ-કુવારસી-બોરડીયા-બેડા-હાથીપગલા-સનાલી-હડાદ-મચકોડા-ગનાપીપળી-ચિખલા-અંબાજી પર ડાયવર્ટ કરવામાં આવ્યોબ છે.
આ હુકમ તા.૧૬/૦૩/૨૦૨૦ થી તા.૨૫/૦૩/૨૦૨૦ સુધી દિન-૧૦ સુધી અમલમાં રહેશે. આ પ્રતિબંધનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૩ મુજબ સજાને પાત્ર ઠરશે.
અમિત પટેલ (અંબાજી)