મેંદરડા ખાતે બનેલ ખૂનના બનાવમાં પતિને મોતને ઘાટ ઉતાર્યાની કબૂલાત કરી

મેંદરડા ખાતે બનેલ ખૂનના બનાવમાં પતિને મોતને ઘાટ ઉતાર્યાની કબૂલાત કરી
Spread the love

જૂનાગઢ જિલ્લાના મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે રાજકોટ શહેરમાં કોઠારિયા મેઈન રોડ ઉપર બાલાજી પાર્કમાં રહેતા વર્ષાબેન મનોજભાઈ સિમેજિયા એ આવી જાહેરાત કરેલ કે, પોતાના પતિ મનોજભાઈ સિમેજીયા સોની છેલ્લા ત્રણ ચાર દિવસથી ઘરેથી ગુમ થયેલ હોઈ, તેઓના કપડાં અને વાળ હાડકાં જેવો સામાન સાંસણ નજીક જંગલમાંથી મળી આવ્યા હોવાની જાણ કરવામાં આવેલ હતી.

પોતાને પોતાના પતિના કપડાં અને ચીજ વસ્તુ જંગલમાં હોવાની જાણ પોતાના ધર્મના ભાઈ હિંમતભાઈ રાજગોર બ્રાહ્મણ કે જેઓ ધારીના છે અને ફોરેસ્ટ મા નોકરી કરતા માણસે કરી હોવાની બાબત પણ મેંદરડા પોલીસને જણાવેલ હતી. મેંદરડા પીએસઆઇ એ.બી.દેસાઈ તથા સ્ટાફ દ્વારા જંગલમાં તપાસ કરતાં, કપડાં, પાકીટ ચપ્પલ, માથાના વાળ, હાડકાં વિગેરે ચીજ વસ્તુઓ જોવા મળતા, ખરાઈ કરી, મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરી, તપાસ હાથ ધરવામાં આવેલ હતી.

જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ દ્વારા મહિલા વર્ષાબેન દ્વારા કરવામાં આવેલ જાહેરાત પહેલેથી જ શંકાસ્પદ હોઈ, આ બાબતે જીણવટ ભરી તપાસ કરવા સુચનાઓ કરવામાં આવેલ હતી. જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ દ્વારા જૂનાગઢ ડીવાય એસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પો.આઇ. આર.સી. કાનામીયા, પીએસઆઇ આર.કે.ગોહિલ, મેંદરડા પીએસઆઇ એ.બી. દેસાઈ તથા સ્ટાફની જુદી જુદી ત્રણ ટીમો બનાવી, જાહેરાત કરનાર વર્ષાબેન મનોજભાઈ સીમેજીયાં સોનીની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવતા, વર્ષાબેન સોની ભાંગી પડ્યા હતા.

પોતાના પતિને મોતને ઘાટ ઉતારવામાં પોતાના ધર્મના ભાઈ જણાવેલા એવા હિંમતભાઈ બ્રાહ્મણ દ્વારા મદદ કરવામાં આવેલાની તથા પોતે પણ આ વાત જાણતા હોવાની કબૂલાત કરવામાં આવતા, પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જેથી આ બાબતે મરણજનાર મનોજભાઈ સિમેજિયાના પુત્ર રજનીકાંત મનોજભાઈ સીમેજીયા સોની ઉવ. 24 રહે. બાલાજી પાર્ક, કોઠારિયા મેઈન રોડ, રાજકોટ દ્વારા આરોપીઓ પોતાની માતા વર્ષાબેન મનોજભાઈ સિમેજીયાં તથા હિંમતભાઈ મહેતા રહે. ધારીના વિરુદ્ધમાં મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધાવતા, ફરિયાદ દાખલ કરી, આગળની તપાસ મેંદરડા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.બી.દેસાઈ તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ હતી.

જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પો.આઇ. આર.સી. કાનામીયા, પીએસઆઇ આર.કે.ગોહિલ, મેંદરડા પીએસઆઇ એ.બી. દેસાઈ તથા સ્ટાફના હે.કો. ભરતભાઇ, હાજીભાઈ, વિજયભાઈ, પો.કો. સાહિલ શમા, યશપાલસિંહ, નિલેશભાઈ, કિરણભાઈ, ગોવિંદભાઇ, દિનેશભાઇ, માનસિંગભાઈ, માનસિંગ ભલાગરિયા,ની જુદી જુદી ટીમો દ્વારા વર્ષાબેન મનોજભાઈ સોનીની પૂછપરછ કરવામાં આવતા, પોતાને જુગાર રમાવાની ટેવ હોય, પોતે જુગાર રમવા અમરેલી જતી હોઈ, પોતાને ધારીના દેવડા ગામે રહેતા અને ફોરેસ્ટ ખાતામાં નોકરી કરતા, હિંમતભાઈ મહેતા રાજગોર બ્રાહ્મણ સાથે ઓળખાણ થયેલ અને આંખ મળી જતાં, પ્રેમ સંબંધ અને આડા સંબંધ બંધાયેલા હતા.

ત્યારબાદ અવાર નવાર આ હિંમતભાઈ બ્રાહ્મણ પોતાને અમરેલી બોલાવતા તેમજ રાજકોટ પણ આવતા અને તેની સાથે શરીર સુખ માણતી હોઈ, પોતાનો પતિ રીક્ષા ચલાવતો હતો અને કાયમી સતત દારૂ પીને આવતો હોઈ, પોતે દુઃખી હોવાની વાત પોતાના પ્રેમી હિંમતભાઈ બ્રાહ્મણ ને કરેલી હતી. પોતાના પતિના દુઃખ ત્રાસમાંથી છુટકારો મેળવવા માટે પણ હિંમતભાઈ બ્રાહ્મણને વાત કરતાં, હિંમતભાઈ ને પણ મનોજભાઈ સોનીને ઠેકાણે પાડી, તેની પત્નીને પોતાના ઘરમાં બેસાડવા જણાવી, વર્ષાબેનના પતિને ઘરેથી સાથે લઈ જવાનું જણાવી, પ્રથમ ચોટીલા વિસ્તારના ડુંગર અથવા જંગલમાં મારી નાખવાની યોજના બનાવેલ હતી.

ચોટીલા ખાતે મનોજભાઈ સોનીના આઇડી પ્રૂફ ઉપર ધર્મશાળામાં ઉતરેલ પરંતુ પૂનમનો તહેવાર હોઈ, લોકો જાજા હોઈ, મોકો નહિ મળતા, ચોટીલાની નીકળી, જૂનાગઢ આવી ગયેલ હતા. જૂનાગઢમાં પણ કોશિશ કરવામાં આવેલ પરંતુ પછી મનોજભાઈ સોનીને લઈને ધારી ખાતે જતા રહેલ હતા. આ બાબતે આરોપી હિંમતભાઈ મહેતાએ આરોપી વર્ષાબેનને જાણ કરેલ કે, મોકો મળેલ નથી. પણ મોકો મળશે એટલે હું કામ પાર પાડી દઈશ.

ત્યારબાદ બીજા દિવસે આરોપી હિંમતભાઈ મહેતા મરણ જનાર મનોજભાઈ સોનીને લઈને સાસણ વિસ્તારમાં કઠાળા નેસ જવાના રસ્તે દારૂ પાઈને લાવેલ અને પથ્થરમાં માથું ભટકાડી મોત નિપજાવેલ અને તેની જાણ વર્ષઆબેનને પણ કરેલ કે, કામ પતી ગયું છે. આ વાતની જાણ થતાં, વર્ષાબેન સોની ભાવનગર પોતાના મામાની તબિયત ખરાબ હોવાથી ખબર કાઢવા ગયેલા ત્યાંથી પોતાના પતિને શોધતા હોવાનો ડોળ અને દેખાવ કરી, પોતાના સગા સંબંધીઓ સાથે આરોપી હિંમતભાઈ ને લઈને મેંદરડા વિસ્તારમાં જ્યાં લાશ પડી હતી ત્યાં આરોપી હિંમતભાઈ જ લઈને આવેલ હતા.

પોલીસની પૂછપરછમા તમામ વિગતો ખુલી જતા, તપાસમાં રહેલ પોલીસ ટીમો પૈકી પીએસઆઇ એ.બી.દેસાઈ, પો.કો. નિલેશભાઈ, કિરણભાઈ, ગોવિંદભાઇ, દિનેશભાઇ, માનસિંગભાઈ, માનસિંગ ભલાગરિયા, સહિતની ટીમ દ્વારા તાત્કાલિક ધારી તાલુકાનાં દેવડા ગામે પહોંચી, આરોપી હિંમતભાઈ મહેતાને રાઉન્ડ અપ કરી, મેંદરડા લાવી સઘન પૂછપરછ કરતાં, પોતે અને મરણ જનાર મનોજભાઈ સિમેજિયાં સોનીના પત્ની વર્ષાબેન સોનીના કહેવાથી બંને મળી, આ ગુન્હો આચરેલાની કબૂલાત કરવામાં આવેલ છે.

મેંદરડા પોલીસ દ્વારા આરોપીઓ (1) વર્ષાબેન મનોજભાઈ સિમેજિયા જાતે સોની ઉવ. 44 રહે. બાલાજી પાર્ક શેરી ન. 1, કોઠારીયા રોડ, રાજકોટ તથા (2) હિમતભાઈ નારણભાઇ મહેતા જાતે રાજગોર બ્રાહ્મણ ઉવ. 63 રહે. દેવડા ગામ તા. ધારી જી. અમરેલીની ધરપકડ કરવામાં આવેલ છે. આમ, મેંદરડા ખાતે બનેલ ખૂનના બનાવમાં મરણ જનાર મનોજભાઈ સોની ની પત્ની વર્ષાબેન સોની અને પ્રેમી હિંમતભાઈ મહેતા રાજગોર બ્રાહ્મણ દ્વારા આડખીલી રૂપ પતિને મોતને ઘાટ ઉતારી દીધાની વિગતો તપાસ દરમિયાન જાણવા મળતા, બને આરોપીઓ ની ધરપકડ કરી, પોલીસ રિમાન્ડ ઉપર મેળવવા વધુ તપાસ મેંદરડા પીએસઆઇ એ.બી.દેસાઈ તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

IMG-20200316-WA0074.jpg

Anish Gaudana

Anish Godani

Right Click Disabled!