રાજકોટ : બેરહેમીથી ટ્રકમાં ભરી કતલખાને લઇ જવાતી ૯ ગાયો સાથે બે શખ્સો ઝડપાયા

રાજકોટ : સમગ્ર રાજ્યમાં લોકડાઉન દરમિયાન વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હોય. તેમજ કોરોના વાયરસની મહામારીના કારણે એક ભયનો માહોલ સર્જાયો હોય. તેવામાં ગૌ હત્યારા પણ સક્રિય થઈ ગયા હતા. ચોટીલા હાઈવે પર એક ટ્રક માં ગાયો લઈ નિકળવાના હોય. તેવી હકીકત બાતમીના આધારે ગો સેવકો વોચ ગોઠવી હતી. ચોટીલા જીવદયા પ્રેમીઓએ રેકેટ પકડી પોલીસને સોપ્યુ. ચોટીલાના ગૌ સેવકો એ બાતમી મળતા કતલખાને જતી ટ્રક રોકી અબોલ પશુઓને બચાવી લીધા છે. સૌરાષ્ટ્ર થી મહારાષ્ટ્ર તરફ ટ્રક માં ક્રૂરતા પૂર્વક ગૌમાતા સાથે માણાવદરના બે શખ્સો ઝબ્બે વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)