સુત્રાપાડા – અનિયમિત અને ટુંકી એસટી સેવાના કારણે વિઘાર્થીઓ અને લોકો પરેશાન
- વેરાવળ-કોડીનાર વચ્ચે વાયા સુત્રાપાડા થઇ દોડતી બસો હાઉસફુલ જ થઇને સુત્રાપાડા પહોંચતી હોવાથી સ્થાનીક મુસાફરો બેસી શકતા ન હોવાની રાવ
- કોરોના અગાઉ સુત્રાપાડા પંથક માટે સવારના સમયે 3 બસો દોડતી જેની સામે હાલ 1 બસ જ દોડતી હોવાથી વિઘાર્થીઅો-લોકોને ફરજીયાત ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડે
ગીરસોમનાથના સુત્રાપાડા તાલુકામાં વેરાવળ-કોડીનાર વચ્ચે દોડતી એસટી બસો ઉપરના રૂટથી મુસાફરો ભરેલી આવતી હોવાથી સુત્રાપાડા પંથકના લોકો અને વિઘાર્થીઅોને ભારે મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને સુત્રાપાડા તાલુકામાંથી વેરાવળ અભ્યાસ તેમજ નૌકરી અર્થે અપડાઉન કરતા વિદ્યાર્થીઓ અને લોકો પાસે માસીક પાસ હોવા છતાં ફરજીયાત રીક્ષામાં મુસાફરી કરવી પડે છે. જેથી બેવડો માર સહન કરવો પડી રહયો છે. અા સમસ્યા બાબતે એસટી તંત્રને અનેકવાર રજુઅાતો કરવા છતાં કોઇ નિવેડો અાવતો ન હોવાથી વિઘાર્થીઅોમાં રોષ પ્રર્વતેલ છે.
કોરોનાકાળના 10 મહિના બાદ સ્કૂલ-કોલેજો ઘીમે ઘીમે ચાલુ થઇ રહેલ છે. ત્યારે જ અભયાસ અર્થે અપડાઉન કરતા વિદ્યાર્થીઓની મુશ્કેલીમાં પણ વધારો થયો છે. સરકારની ગાઈડલાઈન મુજબ 35-40 મુસાફરો બેસાડવાનો નિયમ હોય જેથી બધા મુસાફરો બસમાં ચડી શકતા નથી. સરકાર 1000 નવી બસ મુકવાની જાહેરાતો કરે છે પણ જે બસો ચાલુ કરાઇ છે એ પણ સમયસર આવતી નથી ત્યારે સરકાર માત્ર વાતો જ કરતી હોઈ એવું સુત્રાપાડા પંથકમાં પુરવાર થઇ રહયુ છે. કારણ કે, સુત્રાપાડા તાલુકાના વિદ્યાર્થીઓને કોરોના મહામારી પહેલા જે સમસ્યા હતી એ ફરી ભોગવવી પડી રહેલ છે.
જેમાં એસટી વિભાગની વેરાવળ-કોડીનાર વાયા સુત્રાપાડા થઈને કોરોના પહેલા દરરોજ ત્રણ બસો દોડતી હતી. જે હાલ અનલોકમાં ફકત 1 બસ જ દોડી રહી છે. જે બસ પણ કલાકોની રાહ જોયા પછી ઉપરના રૂટથી ભરેલી આવતી હોવાથી તમામ વિદ્યાર્થીઓ ચડી શકતા ન હોવાથી હાલાકી ભોગવી રહયા છે. વેરાવળ-કોડીનાર વાયા સુત્રાપાડા રૂટ પર ચાલતી બસ વેરાવળ થી અને કોડીનારથી જ ફુલ થઈને સુત્રાપાડા પહોંચે છે. જેના કારણે સુત્રાપાડા પંથકના કણજોતર, સિંગસર, લોઢવા, પ્રશ્નાવડા, વડોદરાઝાલા, સુત્રાપાડા, કદવાર, લાટી ગામના અપડાઉન કરતા વિદ્યાર્થીઓ અને લોકો સમય સર પહોંચી શકતા નથી.
ઉલ્ટાનું અનિયમિત અને અોછી બસ સેવાના કારણે રીક્ષા, મેજીક જેવા ખાનગી વાહનોમાં નાછુટકે મુસાફરી કરવી પડે છે. જેના કારણે પૈસા અને સમયનો વ્યય થઇ રહયો છે. અા અંગે એસટી ડેપોના જવાબદારોને વધુ બસો ફાળવવા અનેકવાર રજુઆતો કરેલ હોવા છતાં તંત્ર ધ્યાન આપતું નથી. ત્યારે ઉચ્ચકક્ષાએથી વિઘાર્થીઅોની માંગણી પર ઘ્યાન અાપી વધુ બસો દોડાવવા અાદેશ કરે તે જરૂરી હોવાનું અંતમાં જણાવેલ છે.
અહેવાલ : ચેતન અપારનાથી