દીવ દ્વારકાધીશ હવેલીમાં અનેકવિધ સજાવટ સાથે હિંડોળા દર્શન

દીવ દ્વારકાધીશ હવેલીમાં અનેકવિધ સજાવટ સાથે હિંડોળા દર્શન
Spread the love

દીવ દ્વારકાધીશ હવેલીમાં અનેકવિધ સજાવટ સાથે હિંડોળા દર્શન

ગિરિરાજ અન્નકોટ સાથે ગોકુળ બજારના અનોખા કન્સેપ્ટ સાથે હિંડોળા સજાવવામાં આવ્યા

દીવ : અષાઢ વદ એકમ ને બીજથી શ્રાવણ વદ એકમ બીજ થી 30 સુધી એટલે કે ૩૨ દિવસ પ્રભુ હિંડોળે ઝૂલવાની લીલા કરે છે. આ દિવસો દરમિયાન વૈષ્ણવજનો પોતાની ભાવના અનુસાર અનેક પ્રકારે હિંડોળા સજાવી પ્રભુ પ્રત્યેની પોતાની ભક્તિ ભાવ વ્યક્ત કરતા હોય છે.દીવમાં સુરજવા ચોકમાં આવેલ દ્વારકાધીશ હવેલીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વૈષ્ણવો દ્વારા અલગ-અલગ રીતે હિંડોળા સજાવી
દ૨૨ોજ પ્રભુની વિવિધ લીલાના પ૨ીક૨ સાથે હીંડોળાના કલાત્મક સજાવટ દ્વા૨ા દર્શન યોજાય છે. આ જ અનુક્રમે દીવ દ્વારકાધીશ હવેલીમાં શ્રી ગિરિરાજજીના અન્નકૂટ દર્શન સાથે હાટડી (ગોકુલ બજારના કન્સેપ્ટ )સાથે ખૂબ જ ભાવપૂર્વક વૈષ્ણવો દ્વારા અલૌકિક સજાવટ કરવામાં આવી હતી.હિંડોળા સજાવટ માટે વિનયબેન શાહ, હેમાબેન શાહ, સુરભીબેન શાહ,ગીતાબેન શાહ,ભાવનાબહેન,વિભા શાહ, આરતી શાહ,હર્ષાબેન, રૂપાલી શાહ, જાગૃતિ શાહ, ભાગલા બહેન શાહે તથા અન્ય વૈષ્ણવો એ સેવા આપી હતી.
અલૌકિક હિંડોળાના દર્શન કરીને વૈષ્ણવજનો એ પણ ધન્યતા અનુભવી હતી.

 

રિપોર્ટ : પરાગ સંગતાણી, દીવ

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!