નવરાત્રી દરમિયાન રાત્રે ૧૨ કલાક બાદ લાઉડ સ્પીકર ચાલુ રહે તો ફરિયાદ માટે હેલ્પલાઇન શરૂ કરાઇ

નવરાત્રી દરમિયાન રાત્રે ૧૨ કલાક બાદ લાઉડ સ્પીકર ચાલુ રહે તો ફરિયાદ માટે હેલ્પલાઇન શરૂ કરાઇ
જૂનાગઢ : તા.૭/૧૦/૨૦૨૧ થી તા.૧૫/૧૦/૨૦૨૧ સુધી નવરાત્રીની ઉજવણી થનાર છે. નવરાત્રી દરમિયાન રાત્રીના ૧૨ કલાક સુધી લાઉડસ્પીકર શરૂ રાખવાનો નામદાર સુપ્રીમ કોર્ટ દ્રવારા ચુકાદો આપવામાં આવ્યો છે. ગરબી આયોજકો દ્રારા રાતે ૧૨ કલાક બાદ લાઉડ સ્પીકર ચાલુ રહે તો ફરિયાદ માટે જૂનાગઢ પોલીસ દ્રારા ટેલીફોનની સુવિધા શરૂ કરવામાં આવી છે.
જેમાં શ્રી એમ.એમ.વાઢેર પોલીસ ઇન્સ. એ ડીવિઝન જૂનાગઢ શહેર( પી.એસ.ઓ.ટે.નં. ૦૨૮૫-૨૬૫૫૭૭૮), શ્રી એન.આઇ.રાઠોડ પોલીસ ઇન્સ. બી ડીવિઝન જૂનાગઢ શહેર( પી.એસ.ઓ.ટે.નં. ૦૨૮૫-૨૬૫૩૩૨૨), શ્રી જે.જે.ગઢવી પોલીસ સબ ઇન્સ. સી ડીવિઝન જૂનાગઢ શહેર( પી.એસ.ઓ.ટે.નં. ૦૨૮૫-૨૬૭૩૫૪૪), શ્રી એમ.સી.ચુડાસમા પોલીસ સબ ઇન્સ. ભવનાથ પોલીસ સ્ટેશન( પી.એસ.ઓ.ટે.નં. ૦૨૮૫-૨૬૫૫૭૭૮), શ્રી પી.વી.ધોકડીયા પોલીસ સબ ઇન્સ. જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન( પી.એસ.ઓ.ટે.નં. ૦૨૮૫-૨૬૬૧૬૬૬), જૂનાગઢ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ (ટે.નં. ૦૨૮૫-૨૬૩૦૬૦૩,૨૬૩૨૩૭૩,૧૦૦).
ઉપરોક્ત ટેલીફોન નંબરનો નવરાત્રી દરમિયાન રાત્રીના ૧૨ કલાક બાદ લાઉડ સ્પીકર ચાલુ રાખવા સબંધેની ફરિયાદ નિવારણ માટે ઉપયોગ કરી શકાશે.