રાજપારડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જયાબેન મોદી હોસ્પિટલના ઉપક્રમે ઓર્થોપેડિક કેમ્પ યોજાયો

રાજપારડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જયાબેન મોદી હોસ્પિટલના ઉપક્રમે ઓર્થોપેડિક કેમ્પ યોજાયો.
ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફ્રી ઓર્થોપેડિક કેમ્પ યોજાયો હતો અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલના ઉપક્રમે યોજાએલ આ કેમ્પમાં વર્ષો જુની સાંધાની તકલીફ, ઘૂંટણનો ઘસારો, કમરમાં તેમજ સાંધામાં સોજો અને લાલાશ રહેવી, સાંધા જકડાઇ જવા તેમજ હલનચલનમાં તકલીફ, પગ વાંકા વળી જવા તેમજ ચાલવામાં તકલીફ થવા જેવી વિવિધ શારીરિક અને ઓર્થોપેડિક તકલીફોવાળા દર્દીઓને નિષ્ણાત ઓર્થોપેડિક સર્જન દ્વારા તપાસીને નિદાન કરવામાં આવ્યું હતુ ૧૨૦ થી વધુ સંખ્યા માં રાજપારડી તેમજ આજુ બાજુ ના ગામ ના દર્દી ઓ એ લાભ લઈ કેમ્પ ને સફળ બનાવ્યો હતો. વધુમાં જણાવાયા મુજબ આયુષ્યમાન ભારત આરોગ્ય કાર્ડ ધરાવતા દર્દીઓને વિનામુલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે.
રિપોર્ટ:નિમેષ ગોસ્વામી ઝઘડીયા