જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના મેદાનમાં ત્રણ દિવસ યોગ શિબિર યોજાશે

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના મેદાનમાં ત્રણ દિવસ યોગ શિબિર યોજાશે
Spread the love

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના મેદાનમાં ત્રણ દિવસ યોગ શિબિર યોજાશે

તા.૧૭,૧૮ અને ૧૯

 ડિસેમ્બરના રોજ સવારે ૬ થી ૮ યોગ શિબિર

જૂનાગઢ : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના રમત-ગમત મેદાન ખાતે તા. ૧૭,૧૮,૧૯ ડિસેમ્બરના રોજ સવારે ૬ થી ૮ વાગ્યા સુધી યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગત જૂનાગઢ ખાતે ત્રણ દિવસ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી યોગ સેવક શીશપાલ દ્વારા કૃષિ યુનિવર્સિટીના રમત-ગમત મેદાન ખાતે તા. ૧૭,૧૮ અને ૧૯ ડિસેમ્બરના રોજ સવારે ૬ થી ૮ વાગ્યા સુધી યોગ કરાવવામાં આવશે.

આ યોગ શિબિરનો મુખ્ય હેતું લોકોનું સ્વાસ્થ્ય જાળવવાનો છે. યોગ થકી અનેક બિમારીઓ દૂર કરી શકાય છે. આ માટે રાજ્ય સરકારશ્રી દ્વારા જૂનાગઢ ખાતે ત્રણ દિવસ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હોવાનું યોગ બોર્ડ દ્રવારા જણાવાયુ છે.

                         

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!