મુખ્યમંત્રીશ્રીના હસ્‍તે તા. ૩ ના રોજ જૂનાગઢને સેવાર્પિત થશે ડો.સુભાષ આયુર્વેદીક અને જનરલ હોસ્‍પિટલ

મુખ્યમંત્રીશ્રીના હસ્‍તે તા. ૩ ના રોજ જૂનાગઢને સેવાર્પિત થશે ડો.સુભાષ આયુર્વેદીક અને જનરલ હોસ્‍પિટલ
Spread the love

મુખ્યમંત્રીશ્રીના હસ્‍તે તા. ૩ ના રોજ જૂનાગઢને સેવાર્પિત થશે ડો.સુભાષ આયુર્વેદીક અને જનરલ હોસ્‍પિટલ

અતિ આધુનિક ઇન્‍ફ્રાસ્‍ટ્રકચરથી નિર્મિત ૩ માળની બિલ્ડીંગ

હોસ્‍પિટલમાં કાયચિકિત્‍સા, શલ્ય તંત્ર, સ્‍ત્રી રોગ, પંચકર્મ વિભાગ, શાલક્યતંત્ર, ફિઝીયોથેરાપી વિભાગ કાર્યરત હશે

દર્દિઓ માટે ૧૦૦ બેડ સાથે ઇમરજન્‍સી સારવારની સુવિધા

નિષ્‍ણાત ડોક્ટરો દ્વારા તમામ નિદાન – સારવાર દવા નિશુલ્ક ઉપલબ્‍ધ થશે

સોરઠવાસીઓની આરોગ્ય વિષયક સુવિધામાં થશે વધારો

જૂનાગઢ : જૂનાગઢ જિલ્‍લા તથા આસપાસના વિસ્‍તારના લોકો માટે આરોગ્ય વિષયક સેવામાં વધારો થશે. જૂનાગઢ ખાતે તા.૩ જાન્યુઆરીથી ડો.સુભાષ આયુર્વેદીક અને જનરલ હોસ્‍પિટલ કાર્યરત થનાર છે. જેમાં નિષ્‍ણાત ડોક્ટરો દ્વારા જનરલ અને આયુર્વેદિક સારવાર, નિદાન,દવા ની સેવા નિશુલ્ક પ્રાપ્ત થશે. આ હોસ્પિટલ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેના હસ્તે જૂનાગઢની જનતાને સેવાર્પિત કરાશે.
સૌરાષ્‍ટ્રના અગ્રણી કેળવણીકાર શ્રી પેથલજીભાઇ ચાવડા નિર્મિત ડો.સુભાષ એકેડેમી સંલગ્ન વિવિધ શૈક્ષણિક સંસ્‍થાઓનો વાર્ષિકોત્‍સવની ઉજવણી થનાર છે. જેના ભાગરૂપે સોરઠવાસીઓ માટે ડો.સુભાષ કેમ્‍પસ, ખામધ્રોળ રોડ ખાતે ડો.સુભાષ આયૂર્વેદિક અને જનરલ હોસ્‍પિટલ નવનિર્માણ પામી છે. અતિ આધુનિક ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર થી સજ્જ અને વિવિધ વિભાગમાં નિષ્‍ણાત ડોક્ટરર્સની સેવાનો લાભ લોકો નિશુલ્ક લઇ શકશે.

આ તકે માણાવદર મતવિસ્‍તારના ધારાસભ્યશ્રી જવાહરભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, તા.૩ જાન્યુઆરીના રોજ આ અદ્યતન હોસ્‍પિટલનું લોકાર્પણ મુખ્યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ તેમજ સાંસદશ્રી સી.આર.પાટીલની ઉપસ્‍થિતિમાં યોજાશે. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખ સાંસદ શ્રી સી. આર. પાટીલની ઔષધિ તુલા કરવામાં આવશે જે ઔષધિઓ નો ઉપયોગ આયુર્વેદ મેડિકલ કેમ્પ દરમિયાન જરૂરિયત મંદ દર્દિઓ માટે નિઃશુલ્ક કરવામાં આવશે.

તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, હોસ્‍પિટલમાં જનરલ વિભાગ, સર્જરી વિભાગ, બાળરોગ, સ્‍ત્રી રોગ, પ્રસુતિ વિભાગ, પંચકર્મ, શાલક્યતંત્ર, સ્‍વસ્‍થવૃત અને યોગા વિભાગ, ફીઝીયોથેરાપી વિભાગ કાર્યરત છે. દર્દીઓ માટે ૧૦૦ બેડની સુવિધા અત્યાધુનિક ઓપરેશન થીયેટર, સ્‍ત્રી પ્રસુતી વિભાગ, ઇમરજન્‍સી સારવાર, એમ્બ્યુલન્‍સ અને લેબોરેટરીની સુવિધા બાળકો માટે સુવર્ણપ્રાસાનની સુવિધા, પુરૂષ અને મહિલા માટે અલગ વોર્ડ વગેરે તમામ પ્રકારના નિદાન સારવાર અને દવા નિશુલ્ક આપવામાં આવશે.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!