અરવલ્લી જિલ્લામાં યોજાશે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો -૨૦૨૨

અરવલ્લી જિલ્લામાં યોજાશે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો -૨૦૨૨
Spread the love

અરવલ્લી જિલ્લા ખાતે માનનીય રાજ્યસભા સાંસદશ્રી નરહરિ અમીનની ઉપસ્થિતીમાં ગરીબ કલ્યાણ મેળો યોજાશે

રાજ્યમાં ૩૩ જિલ્લા કક્ષાના અને ૦૪ મહાનગરપાલિકા કક્ષાના મળી કુલ ૩૭ મેળાનું આયોજન

ગરીબ કલ્યાણ મેળા ૨૦૨૨ અંતર્ગત તારીખ ૧૪-૧૫ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ રાજ્યમાં ૩૩ જિલ્લા કક્ષાના અને ચાર મહાનગરપાલિકા કક્ષાના મળી કુલ ૩૭ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.અરવલ્લી જિલ્લા ખાતે માનનીય રાજ્યસભા સાંસદશ્રી નરહરિ અમીનની ઉપસ્થિતીમાં ગરીબ કલ્યાણ મેળો યોજાશે.

ગરીબ કલ્યાણ મેળામાં સરકારની યોજનાઓના સીધા લાભ લાભાર્થીઓ સુધી પોંહચશે.ગરીબોને આત્મનિર્ભર કરી આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવાની નેમ સાથે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવશે.ગરીબ કલ્યાણ મેળા માત્ર સરકારી સહાય આપવાના ઉદ્દેશ્યથી નહિ પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિર્ઘદ્રષ્ટિથી ગરીબોના સશક્તિકરણનું મહાઅભિયાન બન્યા છે તેની પણ વિશાદ ભૂમિકાની ઝાખી છે.ગુજરાત સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો ગરીબોને હાથોહાથ પહોંચાડવાના સંકલ્પ સાથે સતત કાર્યશીલ ગુજરાત સરકાર દ્વારા ગરીબી નિવારણ કાર્યક્રમ યોજાશે.

રિપોર્ટ:-અર્પણ રાઠોડ (અરવલ્લી)

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!