ઇડરમાં જલારામ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી

ઇડરમાં જલારામ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ઇડરમાં રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા જલારામ મંદિર ખાતે આજે જલારામ બાપાની જન્મ જયંતી નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં ધર્મપ્રેમી ભાઈ બહેનોએ પરિવાર સાથે જલારામ બાપાની જન્મ જયંતિ ની ઉજવણીમાં ભાગ લઈ ધન્યતા અનુભવી હતી ઇડરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ જલારામ મંદિર ખાતે જલારામ બાપાની જન્મ જયંતી નિમિત્તે મહા આરતી , મહાપ્રસાદ અને ડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતું આજે જલારામ જયંતિ નિમિત્તે મહાપ્રસાદના દાતા પીતાંબર દાસ એસ પટેલ બાદરપુરા વાળા હતા આજુબાજુ ની ધર્મપ્રેમી જનતાએ મહાપ્રસાદનો લાભ લઇ ધન્યતાનો અનુભવ કર્યો હતો આ મહાપ્રસાદ ના આયોજનમાં રેલ્વે સ્ટેશન યુવક મંડળે પણ સારી સેવા આપી હતી અને ધર્મપ્રેમી જનતાને અગવડતા ન પડી તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. રાત્રે ભજન અને ડાયરાનું આયોજન પણ રાખવામાં આવ્યું હતું ઇડર નગરજનો જલારામ જયંતિ ધામધૂમથી ઉજવણી કરી ધન્યતા અનુભવી હતી.
Repot : pinakin Upadhyay # pink
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756