જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરીને ડિસેમ્બર-૨૦૨૨ અંતિતના રજૂ કરવાના થતા ઈ.આર.-૧ પત્રક તા.૩૦ જાન્યુઆરી સુધીમાં મોકલવાના રહેશે

જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરીને ડિસેમ્બર-૨૦૨૨ અંતિતના રજૂ કરવાના થતા ઈ.આર.-૧ પત્રક તા.૩૦ જાન્યુઆરી સુધીમાં મોકલવાના રહેશે
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરીને ડિસેમ્બર-૨૦૨૨ અંતિતના રજૂ કરવાના થતા ઈ.આર.-૧ પત્રક તા.૩૦ જાન્યુઆરી સુધીમાં મોકલવાના રહેશે.
જૂનાગઢ જિલ્લામાં રોજગાર વિનિમય કચેરીઓના અધિનિયમ (ખાલી જગ્યાઓની ફરજીયાત જાણ), ૧૯૫૯ હેઠળની જાહેરક્ષેત્રની સરકારી/અર્ધસરકારી કચેરીઓ તથા માન્ય નિગમ – બોર્ડ અને બેંક તેમજ ખાનગી ક્ષેત્રની કંપની/ફેક્ટરી/શૈક્ષણિક સંસ્થાઓ અને તમામ એકમોના સક્ષમ સત્તાધિકારીને તાકીદ કરવામાં આવે છે કે જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરીને ડિસેમ્બર-૨૦૨૨ અંતિતના રજૂ કરવાના થતા ઈ.આર.-૧ પત્રક તારીખ ૩૦/૧/૨૦૨૩ સુધીમાં વેબ સાઈટ www.employment.gujarat.gov.in પર ઓનલાઈન અથવા રૂબરૂ-ટપાલ મારફત મોકલી આપવાના રહેશે અન્યથા કાયદાનો ભંગ થયે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેની સંબંધકર્તા તમામને નોંધ લેવા તેમજ વધુ માહિતી તથા માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢના હેલ્પ લાઇન નંબર- ૬૩૫૭ ૩૯૦ ૩૯૦ પર ટેલીફોનિક અથવા રૂબરૂ સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવવામાં આવે છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300