કેશોદ તાલુકાના ખમીદાણા ગામે સોલંકી પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન

કેશોદ તાલુકાના ખમીદાણા ગામે સોલંકી પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન
Spread the love

👁 ચક્ષુદાન-મહાદાન👁

કેશોદ તાલુકાના ખમીદાણા ગામે સોલંકી પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન

કેશોદ તાલુકાના ખમીદાણા ગામમાં રહેતા સ્વ.મણીબેન કરશનભાઈ સોલંકી ઉ.વર્ષ.૮૨ નું આજ રોજ તા.16.03.2023 ને ગુરુવાર,ફાગણ વદ નોમના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

આ દુઃખદ સમયે તેમના પરિવાર દ્વારા સદગતનું ચક્ષુદાન કરવાના સદવિચારને આરેણા સ્થિત શિવમ્ ચક્ષુદાન સલાહકેંદ્ર સામે મુકેલ.
આથી નેત્ર કલેક્શન માટે માંગરોળના શુભ કંસ્ટ્રક્શનના સ્થાપક હરદાસભાઈ બારડ કે જેઓ ચક્ષુદાતા મણીબેનના જમાઈ થાય છે.તેમજ લોએજ ગામના વતની અને હાલ અધ્યારુ હોસ્પિટલમાં ફરજ બજાવતા રાજેશભાઈ સોલંકી દ્વારા રાત્રે ૨ઃ૪૫ વાગ્યે સદગતના નેત્રનું કલેક્શન અને સ્વિકાર કરેલ.આ સમયે ગામના આગેવાનો,કુટુંબીજનો તેમજ સ્વ.મણીબેનના બંન્ને પુત્રો હમીરભાઈ અને ભીખાભાઈ ઉપસ્થિત રહી સહકાર આપેલ.સ્વ.મણીબેનના સુપુત્ર હમીરભાઈ ખેતીકામના વ્યવસાય સાથે જોડાયેલ છે.સાથે સાથે તેઓ પર્યાવરણપ્રેમી અને પક્ષીપ્રેમી છે, તેઓ જીવદયા પ્રત્યે ખુબ જ જાગૃત છે.

આરેણા ગામના અરસીભાઈ વાળા દ્વારા સ્વર્ગસ્થના બંન્ને ચક્ષુ ડૉ.થાનકી સાહેબની મુનિ સંત બાલાજી આઈ બેંક અને હોસ્પિટલ વેરાવળ,જિ.ગીર સોમનાથને પહોંચાડવામાં આવ્યાં છે.

સોલંકી પરિવારના ચક્ષુદાનના આ વિચારને શિવમ્ ચક્ષુદાન-આરેણા બિરદાવે છે અને સ્વ.મણીબેનને શ્રધ્ધાંજલી અર્પે છે.

આ પરિવાર દ્વારા થયેલ આ ચક્ષુદાને આપણા પૂરાણોમાં થયેલા દાન ધર્મના મહિમાને ખરા અર્થમાં સાર્થક કર્યો છે.

સોલંકી પરિવાર દ્વારા થયેલ આ મહાદાનને શિવમ્ ચક્ષુદાન ગૃપ-આરેણા,માંગરોળ જાયન્ટ્સ ગૃપ,લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર,સ્વ.લક્ષમણભાઈ એ.નંદાણિયા વિવિધલક્ષી સેવાકીય ટ્રસ્ટ-માંગરોળ,સંજીવની નેચર ફાઉન્ડેશન-માંગરોળ,શ્રી ડુગરગુરુ સ્થાનક વાસી જૈન યુવક મંડળ જુનાગઢ,માંગરોળ તાલુકાના પત્રકારમિત્રો,ઈન્ડિયન વુમન રાઈટ્સ એસોસિયેશન-માંગરોળ દ્વારા બિરદાવવામાં આવે છે.અને આપના પરિવાર પર આવી પડેલ મુશ્કેલીને સહન કરવાની શક્તિ પ્રભુ આપને આપે તેવી પ્રાર્થના કરીએ છીએ. તેમજ સ્વર્ગસ્થ મણીબેનના આત્માને શ્રી કૃષ્ણના ચરણોમાં સ્થાન મળે તે પ્રાર્થના સહ શ્રધ્ધાંજલી….

ll જય શ્રી કૃષ્ણ ll

 

રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!