વન અને પર્યાવરણ મંત્રીશ્રી તથા રાજ્યમંત્રીશ્રી ના હસ્તે વનચેતના કેન્દ્ર ખાતે નવનિર્મિત વિશ્રામ ગૃહનું લોકાર્પણ

વન અને પર્યાવરણ મંત્રીશ્રી તથા રાજ્યમંત્રીશ્રી ના હસ્તે વનચેતના કેન્દ્ર ખાતે નવનિર્મિત વિશ્રામ ગૃહનું લોકાર્પણ
Spread the love

વન અને પર્યાવરણ મંત્રીશ્રી મૂળુભાઈ બેરા તથા રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે વનચેતના કેન્દ્ર ખાતે નવનિર્મિત વિશ્રામ ગૃહનું લોકાર્પણ કરાયું

ગાંધીનગર : વનચેતના કેન્દ્ર ગાંધીનગર ખાતે ગુજરાત પોલિસ આવાસ નિગમ લી. દ્વારા નવનિર્મિત વિશ્રામ ગૃહનંક લોકાર્પણ વન અને પર્યાવરણ મંત્રીશ્રી મૂળુભાઈ બેરા તથા રાજ્યકક્ષાના વન પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું.
રૂ. 415.55 લાખના ખર્ચે તૈયાર થયેલા વિશ્રામગૃહનાં બે માળમાં કુલ 12 રૂમ તથા 1 ડાઈનીંગ હોલ બનાવાયા છે.જેમાં વાતાનુકુલ સાથે અન્ય તમામ અત્યાધુનિક સગવડો પણ ઉભી કરાઈ છે. ગાંધીનગર ખાતે થતા વિવિધ સેમિનાર,કોન્ફરન્સ,તાલિમ કાર્યક્રમો,રિસર્ચ અર્થે આવતા નિષ્ણાતો તથા મીટીંગ અર્થે આવતા વન વિભાગના અધિકારીશ્રીઓ તથા પાટનગર ખાતે વિવિધ કાર્યક્રમોમાં આમંત્રિત પદાધિકારીઓ,મહેમાનોનાં રોકાણની સુવિધા અર્થે આ વિશ્રામગૃહનું નિર્માણ કરાયું છે.
આ પ્રસંગે અ‍ગ્ર મુખ્ય વન સંરક્ષક વિકાસ અને વ્યવસ્થાપનશ્રી યુ.ડી સિંઘ, મુખ્ય વન સંરક્ષકશ્રી અ‍ને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ એસ.કે ચતુર્વેદી, અગ્ર સચિવશ્રી વન અને પર્યાવરણ સંજીવ કુમાર,મુખ્ય વન સંરક્ષકશ્રી સંદિપ કુમાર, ગાંધીનગર જિલ્લા નાયબ વન સંરક્ષકશ્રી ચંદ્રેશકુમાર સાનદ્રે તથા વન વિભાગના અન્ય ઉચ્ચ અધિકારીશ્રીઓ ,પોલિસ આવાસ નિગમ.લિ નાં અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!