ભવનાથ વિસ્તારમાં પીવાનુ પાણી દૂષિત થાય તેવા કૃત્યો કરવા પર પ્રતિબંધ

ભવનાથ વિસ્તારમાં પીવાનુ પાણી દૂષિત થાય તેવા કૃત્યો કરવા પર પ્રતિબંધ
જૂનાગઢ : ભવનાથ તળેટી વિસ્તારમાં તા.૨૨ ફેબ્રુઆરીથી ૨૬ ફેબ્રુઆરી દરમિયાન મહાશિવરાત્રીનો મેળો યોજાનાર છે. જેમાં દેશભરમાંથી ભાવિકો અને સાધુ સંતો જોડાય છે. ત્યારે આ મેળા દરમિયાન જાહેર આરોગ્ય નુકસાન ન થાય તેવા હેતુસર પીવાના પાણી માટે માટે અલગ રાખેલ પાણીમાં ગંદકી ન થાય, જાહેર આરોગ્ય જળવાઈ રહે અને ચેપી રોગોનો ઉપદ્રવ થવા ન પામે તે માટે ભવનાથ વિસ્તારમાં લોકોને પીવા માટેનુ પાણી દૂષિત થાય તેવા કોઈપણ કૃત્યો કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. આ માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જૂનાગઢને અને તેમના દ્વારા નિયુક્ત થયેલ કર્મચારીઓને આ કામગીરી માટે દેખરેખ રાખવા અને યોગ્ય પગલાં લેવા માટે અધિકૃત કરવામાં આવે છે. તે મુજબનું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ જાહેરનામુ બહાર પાડ્યું છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300