જૂનાગઢ જિલ્લામાં પી.એમ.ઈન્ટર્નશીપ યોજના અન્વયે આગામી તા.૧૨ માર્ચ સુધીમાં અરજી કરી શકાશે

જૂનાગઢ જિલ્લામાં પી.એમ.ઈન્ટર્નશીપ યોજના અન્વયે આગામી તા.૧૨ માર્ચ સુધીમાં અરજી કરી શકાશે
Spread the love

જૂનાગઢ જિલ્લામાં પી.એમ.ઈન્ટર્નશીપ યોજના અન્વયે આગામી તા.૧૨ માર્ચ સુધીમાં અરજી કરી શકાશે

જૂનાગઢ : કેન્દ્ર સરકારના માર્ગદર્શન અનુસાર યુવાનોને ટોચની કંપનીઓમાં કામ કરવાનો અનુભવ મળે તેવા ઉમદા હેતુથી પી.એમ.ઈન્ટર્નશીપ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં જોડાયેલા ઉમેદવારોને ૧૨ માસ માટે માસિક રૂ. ૫૦૦૦/- જેટલું સ્ટાઇપેન્ડ મળવાપાત્ર બને છે.

જે અન્વયે ૨૧ થી ૨૪ વર્ષના વયજૂથમાં સમાવિષ્ટ ઈચ્છુક ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત એસ.એસ.સી./ એચ.એચ.સી./ આઈ.ટી.આઈ./ ડિપ્લોમા/ ગ્રેજ્યુએટની ડિગ્રી પૂર્ણ કરેલી હોવી જોઈએ. તેઓ પાસે હાલમાં સંપૂર્ણ સમયની રોજગારી અથવા તો શિક્ષણ મેળવતા ના હોવા જોઈએ. તેમજ તેમના કુટુંબમાંથી કોઈ સરકારી નોકરીમાં જોડાયેલા ન હોવા જોઈએ અને કુટુંબમાં કોઈ સભ્યની નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ ની વાર્ષિક આવક રૂ.૮ લાખથી વધુ ના હોવી જોઈએ.

આ ઉપરાંત ઉમેદવારો રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની કોઈ સ્કીમમાં સ્કિલ કોર્ષ/ એપ્રેન્ટીશીપ / ઈન્ટર્નશીપ કરેલી ના હોવી જોઈએ. આ કાર્યક્રમમાં જોડાવા માટે ઈચ્છુક ઉમેદવારોએ આગામી તારીખ ૧૨-૦૩-૨૦૨૫ સુધીમાં www.pminternship.mca.gov.in આ વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ અંગે વધુ માહિતી મેળવવા માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બહુમાળી ભવન, જૂનાગઢના લેન્ડલાઈન નંબર ૦૨૮૫- ૨૬૨૦૧૩૯ પર સંપર્ક સાધી શકાશે. તેમ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!