જૂનાગઢમાં ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી અંગે જરૂરી સૂચના બહાર પડાઈ

જૂનાગઢમાં ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી અંગે જરૂરી સૂચના બહાર પડાઈ
Spread the love

જૂનાગઢમાં ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી અંગે જરૂરી સૂચના બહાર પડાઈ

 

જૂનાગઢ : રાજ્ય સરકારના માર્ગદર્શન અનુસાર ટેકાના ભાવે ચણા અને રાયડાના વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવેલ જૂનાગઢ જિલ્લાના તમામ ખેડુતોએ ઈ સમૃદ્ધિ https://esamridhi.in/#/ આ વેબ પોર્ટલ પર પાક અને સર્વે નંબર સાથે નોંધણી કરાવેલી છે. તે સર્વે નંબરની સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણી કરતા જે સર્વે નંબરોમાં પાક જોવા મળેલ નથી તો તેવા ખેડુતોને આ બાબતે આઇ– ખેડુત પોર્ટલ મારફત મેસેજ/ SMS કરવામાં આવેલ છે.

જે કોઈ ખેડુતોને આવો મેસેજ આવેલો હોય અને આ બાબતે આપને કોઈ વાંધો હોય તો આપના વિસ્તારના ખેતીવાડી ગ્રામ સેવકશ્રી/ વિસ્તરણ અધિકારીશ્રી (ખેતી) ને જરૂરી આધાર પુરાવા સહ અરજી રજુ કરવાની રહેશે. જેથી આગળની કાર્યવાહી હાથ ધરી શકાય.

આ અંગે વધુ જાણકારી મેળવવા માટે આપના વિસ્તારના ગ્રામસેવકશ્રી/ વિસ્તરણ અધિકારીશ્રી/ ખેતી અધિકારીશ્રી/ તાલુકા અમલીકરણ અધિકારીશ્રી/ મદદનીશ ખેતી નિયામકશ્રી/ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીનો સંપર્ક સાધી શકાશે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જિલ્લા પંચાયત, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!