જૂનાગઢમાં ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી અંગે જરૂરી સૂચના બહાર પડાઈ

જૂનાગઢમાં ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી અંગે જરૂરી સૂચના બહાર પડાઈ
જૂનાગઢ : રાજ્ય સરકારના માર્ગદર્શન અનુસાર ટેકાના ભાવે ચણા અને રાયડાના વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવેલ જૂનાગઢ જિલ્લાના તમામ ખેડુતોએ ઈ સમૃદ્ધિ https://esamridhi.in/#/ આ વેબ પોર્ટલ પર પાક અને સર્વે નંબર સાથે નોંધણી કરાવેલી છે. તે સર્વે નંબરની સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણી કરતા જે સર્વે નંબરોમાં પાક જોવા મળેલ નથી તો તેવા ખેડુતોને આ બાબતે આઇ– ખેડુત પોર્ટલ મારફત મેસેજ/ SMS કરવામાં આવેલ છે.
જે કોઈ ખેડુતોને આવો મેસેજ આવેલો હોય અને આ બાબતે આપને કોઈ વાંધો હોય તો આપના વિસ્તારના ખેતીવાડી ગ્રામ સેવકશ્રી/ વિસ્તરણ અધિકારીશ્રી (ખેતી) ને જરૂરી આધાર પુરાવા સહ અરજી રજુ કરવાની રહેશે. જેથી આગળની કાર્યવાહી હાથ ધરી શકાય.
આ અંગે વધુ જાણકારી મેળવવા માટે આપના વિસ્તારના ગ્રામસેવકશ્રી/ વિસ્તરણ અધિકારીશ્રી/ ખેતી અધિકારીશ્રી/ તાલુકા અમલીકરણ અધિકારીશ્રી/ મદદનીશ ખેતી નિયામકશ્રી/ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીનો સંપર્ક સાધી શકાશે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જિલ્લા પંચાયત, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300