જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા કેશોદ ખાતે તા. ૧૬ એપ્રિલના ભરતી મેળો યોજાશે

જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા કેશોદ ખાતે તા. ૧૬ એપ્રિલના ભરતી મેળો યોજાશે
Spread the love

જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા કેશોદ ખાતે તા. ૧૬ એપ્રિલના ભરતી મેળો યોજાશે

જૂનાગઢ જિલ્લાનાં રોજગારવાંચ્છુઓને રોજગારીની ઉમદા તક

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાનાં રોજગારવાંચ્છુઓને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ અરવિંદ ઇન્ડસ્ટ્રીઝ લીમિટેડ, અરવિંદ મિલ, મુ. ખાત્રજ તા. કલોલ ખાતે મશીન ઓપરેટરની જગ્યા માટે ધો.૫ થી ધો.૧૨ કે આઇ.ટી.આઈ જેવી શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવનાર રોજગારવાંચ્છુઓ માટે ભરતીમેળાનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, – જૂનાગઢ દ્વારા સરકારી ગર્લ્સ હાઇસ્કુલ, ચાર ચોક પાસે, મુ. કેશોદ ખાતે તા.૧૬/૦૪/૨૦૨૫ના રોજ સવારે ૧૧:૩૦કલાકે કરવામાં આવેલ છે.
પ્રસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર  રોજગારવાંચ્છુઓએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો તેમજ જરૂરી દસ્તાવેજો સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે. ભરતીમેળામાં રોજગારવાંચ્છુઓ અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in ના માધ્યમથી પણ ભાગ લઇ શકે છે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢના ટેલીફોન નંબર ૦૨૮૫-૨૬૨૦૧૩૯ પણ સંપર્ક કરી શકો છો.

રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!