૧૪ એપ્રિલ આંબેડકર જયંતિ નિમિત્તે

૧૪ એપ્રિલ આંબેડકર જયંતિ નિમિત્તે
અમે છે દરિયો અમને અમારું કૌશલ ખબર છે,
જે તરફ નીકળી જશુ ત્યાં જ રસ્તો બનાવી લઈશુ.
અમે સ્વચ્છંદ પંખી ઊડતાં, સ્વતંત્ર પુષ્પ ખીલતાં,
જે ડાળીએ ઉગશું ત્યાં જ સુવાસ ફેલાવતા જઈશું.
ઘણી વખત શતરંજ ખેલનારા લોકો ને જોઉં છું ,
દરેક પ્યાદને અનુસરે એવો એક માર્ગ શોધી લઈશું.
કૂચ કરનારા.. એના તરફ તીરછા ભાલા ઉછળતા,
લોકોને સાચવી, સાંભળી , નવો રસ્તો સાથે ખેડિશું.
મોજાં જેવા પહાડમાંથી પહાડ જેવાં મોજાં નું પ્રગટીકરણ,
થીજેલી ભરતી જેવાં આ શિખરોની મોટી ફાળ ભરશું.
વિચાર જે ઊઠે છે મારા માનસપટ પર , અને ધ્વનિ બાબા સાહેબ આંબેડકરના અવાજની,
અમે છે દરિયો અમને અમારું કૌશલ ખબર છે*
જે તરફ નીકળી જશુ ત્યાં જ રસ્તો બનાવી લઈશુ.
આલેખન ~ બીજલ જગડ. મુંબઈ ઘાટકોપર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300