ચુડા તાલુકાના ખાંડીયાથી કંથારીયા રોડ બીસ્માર હાલતમાં
ચુડા તાલુકા ના ખાંડીયા થી કંથારીયા રોડ બીસ્માર હાલતમાં : અસ્માત થવાની દહેશત
રાજય સરકાર દ્રારા ગામડાઓમાં વસતા લોકોની મુળભુત પાયાગત સુવિધાઓ મળી રહે તે માટે રોડ રસ્તા અને નાળા બનાવવા માટે કરોડો રૂપીયાની ફાળવણી કરવામાં આવી રહી છે . જેમાં ચુડા તાલુકાના ખાંડીયા થી કંથારીયા ગામ વચ્ચેનો રોડ તુટી જતા રાહદારીઓને પારાવાર મુશ્કેલીનો સામાનો કરવો પડે છે . રોડનું સમારકામ બાબતે કંથારીયા ગામના આગેવાનો દ્વારા આર એન્ડ બી વિભાગ ને અનેક્વાર રજૂઆતો કરવા છંતા નિંભર તંત્ર દ્વારા કોઈ પગલા ભરવામાં આવ્યા નથી . રાજય સરકારની કરોડો રૂપીયાના રોડ ઓને ઓન કાગળ ઉપર બની ગયા હોવાની બુમરાણ ઉભી થતા ભારે ચક્યાર મચી જવા પામી છે .
રિપોર્ટ : દિપકસિંહ વાઘેલા (લીંબડી)