સુબીર : વડપાડા પ્રાથમિક શાળાના ઓરડાના રીપેરીંગ કામમાં આચાર્ય દ્વારા ભ્રષ્ટાચાર….!

મળતી માહિતી મુજબ સુબીર તાલુકા માં સમાવિષ્ટ વડપાડા પ્રાથમિક શાળા ના ઓરડા રીપેરીંગ ની કામગીરી માં ખુદ શાળા ના આચાર્ય દ્વારા ભારે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહયા હોવાનુ જાણવા મળેલ છે એક તરફ સરકાર બાળકો ને સારી સુવિધા ઉપલબ્ધ થાય એ માટે લાખો રૂપિયા નુ આંધણ કરી રહી છે તેમ છતા પણ ભ્રષ્ટ અધિકારીઓની મીલી ભગતથી સરકાર,નો હેતુ સાર્થક થઇ રહયો નથી જેનો ઉતમ નમુનો વડપાડા પ્રાથમિક શાળા ના રીપેરીંગ કામગીરી માં જોવા મળી રહયો છે આ ઓરડા રીપેરીંગ કામગીરીમાં ફકત માટી યુક્ત ભાઠુ વાપરી અને નિમ્નકક્ષા નુ મટીરીયલ નો ઉપયોગ કરી ખુલ્લે આમ ભ્રષ્ટાચાર આચરાઈ રહયો છે આ તમામ કામગીરીની દેખરેખ ની જવાબદારી ખુદ આચાર્ય ની હોય છે તેમ છતા પણ રીપેરીંગ કામગીરીમાં નકરી વેઠ ઉતારવા માં આવી રહી હોવાની ફરિયાદ જાગૃતિ નાગરીક દ્વારા શિક્ષણ વિભાગના બાંધકામ અધિકારીને કરવામાં આવેલ છે તેમ છતા પણ શિક્ષણ વિભાગ દ્વારા આ બાબતે કોઈ પગલા ભરવામાં આવેલ નથી જેને લઇ રીપેરીંગની કામગીરીમાં શાળા ના આચાર્ય ને જાણે ભ્રષ્ટાચાર કરવાની છુટ આપી હોય એવું માલુમ પડી રહ્યું છે એટલું જ નહી પણ એસ.એમ.સી ના પ્રમુખ તરીકે પ્રેમીલાબેન છે અને એ પોતે આંગણવાડી તરીકે સરકારી નોકરી કરે છે છતાં પણ પ્રમુખ તરીકે રાખવામાં આવેલ છે. જે સરકારના ધારાધોરણ મુજબ ગેરલાયક છે. આની સમસ્ત જવાબદારી આચાર્યની હોય છે.આ બાબતે એક વડપાડા ગામના જાગરુત નાગરીકે પોતાનુ નામ ન કહેવાની શરતે જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારની કામગીરી હોય છે પણ આચાર્ય એસએમસીના તમામ મેમ્બરોને વિશ્વાસમાં લેતા નથી અને પોતાની રીતે મનમાની કરી કામ કરે છે. જેમાં એસએમસી ના પ્રમુખ અને આચાર્ય પોતાની સાથ ગાઠ કરી નિમ્ન કક્ષાના કામો કરી ભ્રષ્ટાચાર આરચી રહ્યા છે.જે ભ્રષ્ટાચાર બાબતે શિક્ષણ વિભાગ ના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક પગલાં લઇ જરુરી કાર્યવાહી હાથ ધરે એજ પ્રજાજનો માંગ રહી છે
રિપોર્ટ : વનરાજ પવાર (ડાંગ)