સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પત્રકારત્વ ભવન દ્વારા આયોજીત બે દિવસીય સેમિનારનું ઉદઘાટન

રાજકોટ શહેર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પત્રકારત્વ ભવન દ્વારા આયોજીત બે દિવસીય સેમિનારનું ઉદઘાટન. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડો.નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિશ્રી ડો.વિજયભાઈ દેશાણીના વરદહસ્તે કરવામાં આવેલ હતું. આ પ્રસંગે ચિત્રલેખાના જાણીતા પત્રકાર શ્રીજવલંત છાયા, ભવનના અધ્યક્ષશ્રી ડો.તુષારભાઈ ચંદારાણા, પ્રો. નીતાબેન ઉદાણી, ભવનોના અધ્યક્ષશ્રીઓ, પ્રાધ્યાપકશ્રીઓ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)