જામજોધપુર : આહિર એકતા મંચ દ્વારા ભવ્ય બાઇક રેલી

જામજોધપુર ના સમસ્ત બુટાવદર ગામ તેમજ આહિર એકતા મંચ ગુજરાત દ્વારા વીર જવાન સન્માન સમારંભ યોજાયો. માતૃભૂમિ ના રક્ષણ માટે પોતાની ફરજના ૧૭ વર્ષ પૂર્ણ કરી ખરા અર્થમાં માં ભોમ નું રૂણ અદા કરી નિષ્ઠા પુવૅક પોતાની ફરજ બજાવી ફરજ પરથી નિવૃત્ત થતા શ્રી ગોજીયા રમેશભાઇ કરશનભાઈ સમસ્ત બુટાવદર ગામ તેમજ આહિર એકતા મંચ દ્વારા ભવ્ય બાઇક રેલી બગસરા આશ્રમ થી બુટાવદર સન્માન કરવામાં આવ્યું તેમજ ભવ્ય કાર્યક્રમમાં સમસ્ત બુટાવદર ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા અને વતનમા રમેશભાઈ ગોરીયા વીર જવાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
રિપોર્ટ : વિજય બગડા (જામજોધપુર)