ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ રાણીબેન ચંદ્રવાડિયા દ્વારા પોતાના ઘરે ગાયત્રી યજ્ઞ

ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રાણીબેન દાનાભાઈ ચંદ્રવાડિયા દ્વારા પોતાના ઘરે આજરોજ પોતાના પરિવારજનો સાથે ગાયત્રી યજ્ઞ કરવામાં આવ્યો હતો.અને ઉપલેટા તથા સમગ્ર ભારતભરના લોકોની રક્ષા માટે અને સ્વાસ્થ્ય માટે તેમજ કોરોના વાઈરસની મહામારીથી ઉપલેટા અને સમગ્ર દેશ વાસીઓનુ રક્ષણ થાય તે માટે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરવામાં આવી હતી. તેમજ આપણા બધાના સહિયારા પ્રયાસથી અને સાવચેતીથી આપણે આ કોરોના વાઈરસના જંગ સામે આપણે સૌ ભારતવાસીઓ હિંમતભેર લડીશું અને જીતીશું.
રિપોર્ટ : વિપુલ ધામેચા (ઉપલેટા)