અરવલ્લીના મોડાસાના ધોબીઢાળ વિસ્તારનો કન્ટેઇનમેન્ટ ઝોનમાં સમાવિષ્ટ
હાલમાં વિશ્વભરમાં કોરોના વાયરસ COVID-19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્રારા વૈશ્વિકમહામારી જાહેર કરેલ છે. ભારતમાં પણ COVID-19ના કુલ-૪,૫૦,૦૦૦ થી વધારે કેસો નોંધાયેલ છે. જે બાબતે ભારતસરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી દ્રારા સમયાંતરે કોરોના વાયરસ COVID-19 ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકાજાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને કોરોના વાયરસ COVID-19 ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં તકેદારીના ભાગરૂપેલોકોની વધુ અવર-જવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવાસારુપ્રતીબંધિત કરવામાં આવે છે.
જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં કોરોનાનો પોઝીટીવ કેસ મોડાસા નગરપાલિકાના ધોબીઢાળર્વિસ્તારમાં નોંધાતા અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી અમૃતેશ ઔરંગાબાદકરને તેમને મળેલીસત્તાની રૂએ ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪ નો બીજો અધિનિયમ) ની કલમ-૧૪૪,ધ એપેડેમીક ડીસીઝ એકટ,૧૮૯૭ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૩૦ તથા ૩૪ અન્વયે વાયરસ ઝડપી સંક્રમણનેધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારી પગલાંરૂપે COVID-19નો Containment Area (નિયંત્રિત વિસ્તાર)તરીકે જાહેર કરી લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવ્યા છે.
જેમાં COVID-19 નો કેસ મળીઆવેલ મોડાસા નગરપાલિકાના ધોબીઢાળવિસ્તારને COVID-19Containment Area તરીકે જાહેરકરવામાં આવેલ છે. જયારે પાંચ કિ.મી વિસ્તારને બફર ઝોન જાહેર કરેલ છે. જેમાં આવિસ્તારના એન્ટ્રી અને એક્ઝીટ પોઇન્ટ પર થર્મલ સ્ક્રીનીંગ, વિસ્તારને આવરી લેતા મુખ્ય માર્ગો પર ચૂસ્ત પોલીસબંદોબસ્ત તેમજ આવશ્યક સેવાઓ( તબીબી સેવાઓ અને કાયદો અને વ્યવસ્થા સંબંધિત ફરજોસહિત) અને સરકારી વ્યવસ્થાપનની સાતત્યતા જાળવવા સિવાયની પરવાનગી વગર વસ્તીનીઆવાન-જાવનની પ્રવૃતિઓ પર જરૂરી નિયંત્રણોમુક્યા છે.
આજાહેરનામા અન્વયે સરકારી ફરજ ઉપરની વ્યક્તિઓ, વિસ્તારમાંથી પસાર થતાં તમામ માલવાહક વાહનો,આવશ્યક ચીજવસ્તુનું વેચાણ કરતાં પાસ ધારકોતેમજ ત્યાં આવેલા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને જથ્થાબંધ બજારોને નિયંત્રણમાંથીમુક્તિ આપવામાં આવશે, આ જાહેરનામુતા. ૮ જુલાઇ ૨૦૨૦ સુધી અમલી રહેશે જો કોઇઆ હુકમનો ભંગ કરતા માલૂમ પડશે તો તેમની વિરૂધ્ધ ભારતીય દંડ સંહિતા-૧૮૬૦ ની કલમ-૧૮૮,ધ એપેડેમીક ડીસીઝ એકટ ૧૮૯૭ ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન, ૨૦૨૦ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૫૧ થી ૫૮મુજબ શિક્ષાને પાત્ર થશે.
રિપોર્ટ : સલીમ પટેલ (મોડાસા)