પ્રાંતિજ-હિંમતનગર તથા ઇડરના દાવડ ગામના વિસ્તારોને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા
- કન્ટેઇનમેન્ટ ઝોનના લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ
હાલમાં વિશ્વભરમાં કોરોના વાયરસ COVID-19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્રારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. જે બાબતે ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી દ્રારા સમયાંતરે કોરોના વાયરસ COVID-19 ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને કોરોના વાયરસ COVID-19 ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં તકેદારીના ભાગરૂપે આમુખ-૨ થી લોકોની વધુ અવર-જવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા પ્રતીબંધિત કરવામાં આવે છે.
જે અંતર્ગત જિલ્લા કલેકટર શ્રી સી.જે પટેલ તેમને મળેલી સત્તાની રૂએ ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪ નો બીજો અધિનિયમ) ની કલમ-૧૪૪, ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન, ૨૦૨૦ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૩૦ તથા ૩૪ અન્વયે વાયરસ ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારી પગલાંરૂપે COVID-19 નો Containment Area (નિયંત્રિત વિસ્તાર) તરીકે જાહેર કરી લોકોની અવર જવર ઉપર પ્રતિબંધ ફરમાવ્યા છે. જેમાં COVID-19 નો કેસ મળી આવેલ પ્રાંતિજ તાલુકાના પ્રાંતિજ શહેરના નગીના મસ્જીદની સામે વ્હોરવાડમાં મોઇનુદ્દીન અ. રઝાકના ઘરથી શ્રી મો.વારીસ ફૈઝાલમ હાફજીવાલાના ઘર સુધીનો વિસ્તારોને COVID-19 Containment Area તરીકે જાહેર કરવામાં આવેલ છે.
જેમાં COVID-19 નો કેસ મળી આવેલ હિંમતનગર શહેરમાં આવેલ જીવન જ્યોત સોસાયટીના ઘર નં. એ-૨ થી એ-૫ તથા સામેની લાઇનમાં સાદિકભાઇ અહમદભાઇ વાલજીવાળાના ઘરથી લઈ નાજીન હુસેન મો. આરીફ લાલાના ઘર સુધીના વિસ્તારને COVID-19 Containment Area તરીકે જાહેર કરવામાં આવેલ છે. જેમાં COVID-19 નો કેસ મળી આવેલ ઇડર તાલુકાના દાવડ ગામના રાવળ વાસમાં રાવળ દિનેશભાઇ કેશાભાઇના ઘરથી યશવંતભાઇ મોહનભાઇ રાવળના ઘર સુધીના વિસ્તારોને COVID-19 Containment Area તરીકે જાહેર કરવામાં આવેલ છે.
જેમાં આ વિસ્તારના એન્ટ્રી અને એક્ઝીટ પોઇન્ટ પર થર્મલ સ્ક્રીનીંગ, વિસ્તારને આવરી લેતા મુખ્ય માર્ગો પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ આવશ્યક સેવાઓ( તબીબી સેવાઓ અને કાયદો અને વ્યવસ્થા સંબંધિત ફરજો સહિત) અને સરકારી વ્યવસ્થાપનની સાતત્યતા જાળવવા સિવાયની પરવાનગી વગર વસ્તીની આવાન-જાવનની પ્રવૃતિઓ પર જરૂરી નિયંત્રણો મુક્યા છે.
બફર ઝોન
પ્રાંતિજ તાલુકાના પ્રાંતિજ શહેરમાં આવેલ નગિના મસ્જીદ વ્હોરવાડ તથા વ્હોરવાડ આજુ-બાજુનો વિસ્તારને બફર ઝોનમાં સમાવેશ કરવામાં આવે છે.
હિંમતનગર શહેરમાં આવેલ જીવન જ્યોત સોસાયટીમાં Containment સિવાયના ઘર તથા સાકુંતલ સોસાયટી અને કૃષ્ણા કુંજ સોસાયટી વિસ્તારને બફર ઝોનમાં સમાવેશ કરવામાં આવે છે. ઇડર તાલુકાના દાવડ ગામમાં આવેલ બીજા રાવળ વાસમાં દુધમંડળીના બાજુના ૨૮ ઘર સુધીના વિસ્તારને બફર ઝોનમાં સમાવેશ કરવામાં આવે છે.
આ જાહેરનામા અન્વયે સરકારી ફરજ ઉપરની વ્યક્તિઓ, વિસ્તારમાંથી પસાર થતાં તમામ માલવાહક વાહનો, આવશ્યક ચીજવસ્તુનું વેચાણ કરતાં પાસ ધારકો તેમજ ત્યાં આવેલા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને જથ્થાબંધ બજારોને નિયંત્રણમાંથી મુક્તિ આપવામાં આવશે, આ જાહેરનામુ તા. ૧૬ જુલાઇ ૨૦૨૦ સુધી અમલી રહેશે જો કોઇ આ હુકમનો ભંગ કરતા માલૂમ પડશે તો તેમની વિરૂધ્ધ ભારતીય દંડ સંહિતા-૧૮૬૦ ની કલમ-૧૮૮, ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન, ૨૦૨૦ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૫૧ થી ૫૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)