ગાંધીનગર ની આમ આદમી પાર્ટી ની ટીમ દ્વારા આજે 5 જાન્યુઆરી વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત વૃક્ષા રોપણ કરવામાં આવ્યું

ગુજરાત ની આંદોલન ની ભુમી નું મેદાન તરીકે જાણીતું એવા સત્યાગ્રહ છાવણી મેદાન માં આવેલ વૃક્ષો નીચે પક્ષ હોય કે વિપક્ષ તમામે આવીને ધારણા કે વિરોધ કાર્યક્રમ કરતા હોય છે પરંતુ તાઉતે વાવાઝોડામાં તે તમામ વૃક્ષો પડી ગયેલ ત્યારે આ ફોટો સેશન કરનાર નેતાઓને વિશ્વ પર્યાવણ દીને ફક્ત નાના છોડ વાવીને ફોટોસેશન કરતા હોય છે પણ ત્યાં પડી ગયેલા વૃક્ષોની અને બંજર બનેલી ભૂમિ પર કોઈની નજર ના પડી. અને આવનારા સમયની કોઈ એ કદર ના કરીને. ત્યારે આમ આદમી પાર્ટી ગાંધીનગરથી મનપાના ઉમેદવાર જય નવજી વાઘેલા અને તેમના સાથી મિત્ર રજત શર્મા યુવા પ્રમુખ કાર્યકર્તા ને આ વાત ધ્યાને આવતા તમણે સ્વખર્ચે વૃક્ષારોપણ કર્યું અને સાથે સાથે ગાય અને બીજા અન્ય પ્રાણીઓ તેને ખાઈ ના જાય તે ધ્યાને લઇને tree gard પણ લગાવ્યા આવનારા સમયમાં આ વૃક્ષો નો ફાયદો દરેક આંદોલન કરનારને તથા સ્થાનિક ઉપવાસ પર જે લોકો બેસે છે અને પોલીસ મિત્રોને તથા જે પણ , ત્યાંના સ્થાનિક રાહદારીઓને જે પાનના ગલ્લા લગાવીને રોજગારી કરે છે તેમને આવનારા ભવિષ્યમાં તેમનો ફાયદો મળે તે ઉદ્દેશથી આજે પર્યાવરણ દિવસની ઉજવણી કરી..