રાજકોટ માં મહાનગરપાલિકાનાં પેન્શનરો જોગ

રાજકોટ માં મહાનગરપાલિકાનાં પેન્શનરો જોગ બેંક મારફત હૈયાતી અંગેનો દાખલો રજુ કરવા બાબત.
રાજકોટ માં મહાનગરપાલિકાનાં ચીફ એકાઉન્ટન્ટશ્રીની એક યાદીએ જણાવે છે કે, તા.૧૦/૭/૨૦૨૧ થી તા.૩૧/૧૦/૨૦૨૧ દરમ્યાન કોર્પોરેશનનાં પેન્શનરોએ તેઓ જે બેંકમાં પેન્શન મેળવતા હોય તે સંબંધિત બેંકમાં P.P.O બુક તેમજ બેંક પાસબુક સાથે લઇ રૂબરૂ હૈયાતીનાં ખરાપણાનો દાખલો મ્યુનિસિપલ કોર્પોરેશનનાં પેન્શનરોએ જે તે બેંકના મેનેજરશ્રી પાસે રૂબરૂ ઉપસ્થિત થઇ હૈયાતીનું ફોર્મ ભરી હૈયાતીની ખાત્રી કરાવવી. અન્યથા નવેમ્બર-૨૦૨૧ થી પેન્શન બંધ કરવામાં આવશે.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.