રાણપુરમાં બાલાજી મંદીરના મહંતના જન્મદિવસ નિમિત્તે બાળકોને ભોજન કરાવી જન્મદિવસની ઉજવણી કરાઈ

- દરેક વિદ્યાર્થીઓને દસ રૂપિયા તથા ચોપડા,બોલપેન,પેન્સિલ જેવી શૈક્ષણિક કાર્યની વસ્તુઓ આપી જન્મદિવસની ઉજવણી કરી
સાધુ-સંતો ના આંગણે હંમેશા કોઈપણ પ્રસંગ હોય એટલે પહેલા ભોજન હોય અને લોકોને ભોજન કરાવી રાજી થતા હોય છે ત્યારે બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં ભાદર નદીને કાંઠે આવેલ બાલાજી મંદીરના મહંત પુજ્ય યોગેશબાપુ ના જન્મદિવસ નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓને ભોજન કરાવી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી.રાણપુરમાં બાલાજી મંદીરના મહંત પૂજ્ય યોગેશબાપુ ના ૩૮ માં જન્મદિવસ નિમિત્તે રાણપુરની સાંકળીબાઈ કન્યાશાળાના વિદ્યાર્થીઓને મંદીરમાં ગરમ પુરી,શાક,સીરો અને છાસ નું ભોજન કરાવી તેમજ દરેક વિદ્યાર્થીઓને રોકડા દસ રૂપિયા તથા ચોપડા,બોલપેન,પેન્સિલ જેવી શૈક્ષણિક કાર્યની વસ્તુઓ આપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી..
રિપોર્ટ-વિપુલ લુહાર,રાણપુર
👇🏼
YouTube ચેનલના માધ્યમથી ભદ્ર સમાજમાં બનતી તમામ ઘટનાઓ, પ્રસંગોને સૌથી પહેલાં આપના સુધી પહોંચાડવા માંગીએ છીએ. જેથી કોઈપણ સમાચાર તાત્કાલિક અસરથી આપ જાણી શકો તે માટે આજે જ ગાંધીનગરથી પ્રસિદ્ધ થતાં લોકાર્પણ દૈનિક અખબારની YouTube ચેનલને નીચે આપેલી લીંક દ્વારા SUBSCRIBE 👆🏽 અને Like 👍🏽 અને 🔔 બેલ આઈકોનમાં જઈને All કરવા અનુરોધ છે.
👇🏼
https://www.youtube.com/channel/UCwyrALFi5uFObB_lYbPQhRg/featured
☎️ 📡
લોકાર્પણ YouTube ચેનલમાં જોડાવા
તથા એજન્સી માટે આજે જ સંપર્ક કરો:
ભરતસિંહ રાઠોડ (મો) +91 95744 73777
લોકાર્પણ YouTube ચેનલમાં આપના
સમાચાર-વિડીયો મોકલવા માટે સંપર્ક કરો:
ચિંતનકુમાર શાહ (મો) +91 84011 11947