સિહોર પોલીસ સ્ટેશન ખાતે કબજે કરવામાં આવેલ પડતર વાહનો ની જાહેર હરરાજી કરાશે

સિહોર પોલીસ સ્ટેશન ખાતે કબજે કરવામાં આવેલ લાંબા સમય થી પડતર વાહનો ની જાહેર હરરાજી તા.૧૬/૧૦/૨૧ ના રોજ થશે
ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌર સાહેબની સૂચના તેમજ પાલીતાણા ના.પો.અધિકારી આર.ડી.જાડેજા સાહેબ ના માર્ગ દર્શન સાથે સિહોર પોલીસ સ્ટેશન ખાતે કબ્જે કરવામાં આવેલ લાંબા સમયથી પડતર વાહનો જેમાં મોટર સાયકલ -૫૩ નંગ, ફોર વ્હીલર_૬ નંગ, તથા મેજીક -૧ આમ કુલ મળી ૬૦ વાહનો ની જાહેર હરરાજી આગામી તા.૧૬/૧૦/૨૧ શનિવાર ના કલાક ૧૨/૦૦વાગ્યે સિહોર પોલીસ સ્ટેશન (ફોન નં ૦૨૮ ૪૬_૨૨૨૦૬૦)ના સંકુલ ખાતે રાખેલ છે,જેથી રસ ધરાવતી પાર્ટીઓ એ જાહેર હરરાજી માં ભાગ લેવા માટે હાજર રહેવું . નોંધ : હરરાજી વાહનો નું લિસ્ટ અત્રે સિહોર પો.સ્ટે ના નોટિસ બોર્ડ લગાડેલ છે. આ અંગે સિહોર પોલીસ સ્ટેશન ના પોલીસઅધિકારી શ્રી કે ડી ગોહિલ દ્વારા અખબારી યાદી માં જણાવેલ છે.
રીપોર્ટ સતાર મેતર