માંગરોળ તાલુકાના લોએજ ગામના ચાંડેરા પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન સાથે શિવમ્ ચક્ષુદાન આરેણાનું ૧૧૧મું ચક્ષુદાન

માંગરોળ તાલુકાના લોએજ ગામના ચાંડેરા પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન સાથે શિવમ્ ચક્ષુદાન આરેણાનું ૧૧૧મું ચક્ષુદાન
જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના લોએજ ગામના જેઠીબેન વિરાભાઈ ચાંડેરા(ઉ.વ.૯૦) કે જેઓ ગોવિંદભાઈ ચાંડેરાના માતાશ્રી થાય છે.તેમજ લોએજ ગામના નેત્રદાન વખતે કલેક્શન ટીમ સાથે રહીને સતત સહયોગી એવા રાણાભાઈ ચાંડેરાના દાદી થાય છે. જેમનું તા.૧૧-૧૨-૨૦૨૧ માગસર સુદ આઠમને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.આ દુઃખદ સમયે આ પરિવારે અંધ વ્યક્તિના જીવનમાં અજવાળાં પથરાય તેવા હેતુથી તેઓએ તેમના ચક્ષુનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો. આથી લોએજ ગામના ચક્ષુદાન કલેક્શનમાં સહકાર આપતા શ્રી રાજેશભાઈ સોલંકીએ આરેણા સ્થિત શિવમ્ ચક્ષુદાન સલાહ્ કેંદ્રના સંચાલકશ્રીને જાણ કરતા શ્રી કિશોરભાઈ બામરોટીયા(અધ્યારૂ હોસ્પિટલ માંગરોળ) અને ગોવિંદભાઈ વાળા(પેટા આરોગ્યકેંદ્ર- શીલ) દ્વારા મૃતકના બંન્ને ચક્ષુ લેવામાં આવ્યા હતા.તેમજ આજના ચક્ષુનો સ્વિકાર ભરતભાઈ ભાદરકા અને ધર્મેશભાઈ ચાંડેરા દ્વારા કરવામાં આવ્યો હતો.અને કરશનભાઈ વાજા દ્વારા મુનિ સંત બાલાજી આઈ બેંક-વેરાવળને આ બંન્ને ચક્ષુ પહોંચાડવામાં આવ્યાં છે.
આ પરિવારે અગાઉ બે માસ પહેલાં પણ સ્વ.વિરાભાઈનું ચક્ષુદાન કરેલ છે.બે માસના ટૂંકા ગાળામાં આ પરિવાર દ્વારા બીજું ચક્ષુદાન થયેલ છે આ પરિવારના આ મહાદાનને શિવમ્ ચક્ષુદાન આરેણા વંદન કરે છે.
સ્વ.જેઠીબેનના આજ રોજ થયેલ ચક્ષુદાનથી શિવમ્ ચક્ષુદાન-આરેણા દ્વારા ૧૧૧ વ્યક્તિના ચક્ષુદાન કરેલ છે
ચાંડેરા પરિવારના ચક્ષુદાનના આ વિચારને શિવમ્ ચક્ષુદાન બિરદાવે છે અને જેઠીબેનને શ્રધ્ધાંજલી અર્પે છે.
ચાંડેરા પરિવાર દ્વારા થયેલ આ ચક્ષુદાને આપણા પૂરાણોમાં થયેલા દાન ધર્મના મહિમાને ખરા અર્થમાં સાર્થક કર્યો છે.
*ચાંડેરા પરિવાર દ્વારા થયેલ આ મહાદાનને શિવમ્ ચક્ષુદાન ગૃપ-આરેણા,માંગરોળ જાયન્ટ્સ ગૃપ,વંદેમાતરમ્ ગૃપ-માંગરોળ, સરકારી હોસ્પિટલના આંખના સર્જન ધડુકસાહેબ,સ્વ.લક્ષમણભાઈ એ.નંદાણિયા વિવિધલક્ષી સેવાકીય ટ્રસ્ટ-માંગરોળ,સંજીવની નેચર ફાઉન્ડેશન-માંગરોળ,શ્રી ડુગરગુરુ સ્થાનક વાસી જૈન યુવક મંડળ જુનાગઢ,માંગરોળ તાલુકાના પત્રકારમિત્રો દ્વારા બિરદાવવામાં આવે છે.અને આપના પરિવાર પર આવી પડેલ મુશ્કેલીને સહન કરવાની શક્તી આપને પ્રભુ આપે તેવી પ્રાર્થના કરીએ છીએ.તેમજ સ્વર્ગસ્થ શ્રી જેઠીબેનના આત્માને ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં સ્થાન મળે તે પ્રાર્થના સહ શ્રધ્ધાંજલી….
ll *જય શ્રી કૃષ્ણ* ll