જુનાગઢ જિલ્લાના માંગરોળમાં સોની પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન

જુનાગઢ જિલ્લાના માંગરોળમાં સોની પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન
જુનાગઢ જિલ્લાના માંગરોળમાં સોની અશ્વિનભાઈ શાંતિલાલ ગેરીયા(મુરલીધર જવેલર્સ વાળા)ઉ.વર્ષ.૬૮,કે જેઓ પદ્માબેન શૈલેષકુમાર બખાઈ(વેરાવળ),ઉર્મિલાબેનહિતેષકુમાર મદાણી(જુનાગઢ),પ્રફુલાબેન કિરિટકુમાર વઢવાણા(ધોરાજી)ના મોટાભાઈ તેમજ કેતનભાઈ તથા ડોલીબેન યુવરાજકુમાર દિવેચા(વેરાવળ)ના પિતાશ્રી થાય છે. જેમનું તા.૧૪-૦૨-૨૦૨૨ ને સોમવારના રોજ માંગરોળ મુકામે શ્રીજી ચરણ પામેલ છે.
આ દુઃખદ સમયે આ પરિવારે અંધ વ્યક્તિના જીવનમાં અજવાળાં પથરાય તેવા હેતુથી તેઓએ તેમના ચક્ષુનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો.
આથી માંગરોળની અનેક વિધ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલ તેમજ સેવાયજ્ઞમાં પોતાનુ અમુલ્ય યોગદાન આપનાર અને ચક્ષુદાન પ્રવૃતિમાં શિવમ્ ચક્ષુદાન આરેણા સાથે હરહંમેશ સાથ આપનાર પંકજભાઈ રાજપરાએ આરેણા સ્થિત શિવમ્ ચક્ષુદાન સલાહ્ કેંદ્રના સંચાલકશ્રીને જાણ કરતા શ્રી કિશોરભાઈ બામરોટીયા(અધ્યારૂ હોસ્પિટલ માંગરોળ)
દ્વારા મૃતકના બંન્ને ચક્ષુ લેવામાં આવ્યા હતા.તેમજ આજના ચક્ષુનો સ્વિકાર પ્રદિપભાઈ જોટવા દ્વારા કરવામાં આવ્યો હતો.અને કરશનભાઈ વાજા દ્વારા મુનિ સંત બાલાજી આઈ બેંક-વેરાવળને આ બંન્ને ચક્ષુ પહોંચાડવામાં આવ્યાં છે.
આ પરિવારના આ મહાદાનને શિવમ્ ચક્ષુદાન આરેણા વંદન કરે છે.
સોની પરિવારના ચક્ષુદાનના આ વિચારને શિવમ્ ચક્ષુદાન-આરેણા બિરદાવે છે અને અશ્વિનભાઈને શ્રધ્ધાંજલી અર્પે છે.
સોની પરિવાર દ્વારા થયેલ આ ચક્ષુદાને આપણા પૂરાણોમાં થયેલા દાન ધર્મના મહિમાને ખરા અર્થમાં સાર્થક કર્યો છે.
સોની પરિવાર દ્વારા થયેલ આ મહાદાનને શિવમ્ ચક્ષુદાન ગૃપ-આરેણા,માંગરોળ જાયન્ટ્સ ગૃપ,.સ્વ.લક્ષમણભાઈ એ.નંદાણિયા વિવિધલક્ષી સેવાકીય ટ્રસ્ટ-માંગરોળ,સંજીવની નેચર ફાઉન્ડેશન-માંગરોળ,શ્રી ડુગરગુરુ સ્થાનક વાસી જૈન યુવક મંડળ જુનાગઢ,માંગરોળ તાલુકાના પત્રકારમિત્રો દ્વારા બિરદાવવામાં આવે છે.અને આપના પરિવાર પર આવી પડેલ મુશ્કેલીને સહન કરવાની શક્તિ આપને પ્રભુ આપે તેવી પ્રાર્થના કરીએ છીએ.તેમજ ગૌલોકવાસી અશ્વિનભાઈના આત્માને ભગવાન શ્રીજીના ચરણોમાં સ્થાન મળે તે પ્રાર્થના સહ શ્રધ્ધાંજલી….
ll *જય શ્રી કૃષ્ણ* ll
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
આસિ.એડિટર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756