ગાંધીધામ સંકુલના સ્થાપક ભાઈ પ્રતાપ ની જન્મ જયંતીની ઊજવણી કરાઇ

ગાંધીધામ સંકુલના સ્થાપક ભાઈ પ્રતાપ ની જન્મ જયંતીની ઊજવણી કરાઇ
Spread the love

ગાંધીધામ સંકુલના સ્થાપક ભાઈ પ્રતાપ ની જન્મ જયંતીની સિનિયર સીટીઝનો દ્વારા ઊજવણી કરાઇ

ગાંધીધામ આદિપુર સંકુલ ના સ્થાપક અને સ્વપ્ન દ્રષ્ટા ભાઈ પ્રતાપ દિયલ દાસ ની જન્મ જયંતી ની ઊજવણી અહીંના સીનીયર સીટીઝન એસોસિયેશન દ્વારા કરવામાં આવી હતી.

આદિપુર સ્થિત ભાઈ પ્રતાપની સમાધિ ઉપર સવારે પુષ્પહાર કરવામાં આવ્યા હતા સાથે સાથે ઉપસ્થિત મહાનુભાવોએ ભારત પાકિસ્તાનના ભાગલા બાદ અહીં માત્ર સિંધી સમાજ જ નહીં પરંતુ દરેક સમાજને વિકસાવીને એક મોટું માનવતા નું કામ ભાઈ પ્રતાપ દ્વારા કરવામાં આવ્યું છે સાથે સાથે આ નગર નિર્માણ ના મહાન કાર્ય બદલ સદીઓ સુધી લોકો ભાઈ પ્રતાપ ને યાદ કરતાં રહેશે તેમ જણાવ્યું હતુ.

આ ઉજવણી સમયે સિનિયર સિટીઝન એસોસિયેશન ના અગ્રણીઓ અર્જન્દાસ જગેશિયા, સી. એલ. સાજનાની, એસ. એચ. મદનાની, હરી ભાઈ ચાવલા, અશોક ભાઈ માખીજા, જનક ટેજવાની, રોચક ટેજવાની, બી. દી. ક્રીપલાણી, ઓમ લછીરામાની, ભગવાન ગાલાની , એચ. ટી. ખુસલાની, માનવતા ગ્રુપના પ્રમુખ ગોવિંદ દનીચા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

 

રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!