ભરૂચના ત્રાલસા ખાતે અસ્મિતા વિકાસ કેન્દ્ર દ્વારા નિઃશુલ્ક “ગુરુકુલમ જ્ઞાન વર્ગો” શરૂ કરાયા

ભરૂચના ત્રાલસા ખાતે અસ્મિતા વિકાસ કેન્દ્ર દ્વારા નિઃશુલ્ક “ગુરુકુલમ જ્ઞાન વર્ગો” શરૂ કરાયા
ત્રાલસા (તા. જી.ભરૂચ) ગામમાં વર્ગો નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. 200 જેટલા બાળકો આ વર્ગોનો લાભ લેશે. આ કાર્યક્રમમાં શ્રી એમ.એ. હનિયા (પ્રમૂખ શ્રી અસ્મિતા) તથા શ્રી સમીરભાઈ પટેલ(મેનેજિંગ ટ્રસ્ટીશ્રી), શ્રી યશવંતભાઈ પટેલ (ટ્રસ્ટીશ્રી) શ્રીમતિ મનીષા ત્રિવેદી (આચાર્યા), સીઆરસી શ્રી હારૂનભાઈ, ગુજરાતી શાળાના આચાર્ય શ્રીમતિ ઉષાબેન તથા તેમના શિક્ષકગણ, જ્ઞાન વર્ગો શાળાના શિક્ષકગણ તથા બાળકોના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં શ્રી પ્રવીણભાઈ તથા શ્રીમતિ અરુણાબેન પટેલ (સ્થાપક શ્રી,અસ્મિતા વિકાસ કેન્દ્ર) તથા શ્રીમતી સ્વાતિબેન દેસાઈ (પ્રોફેસર, શિક્ષણનીતિ વિશેષજ્ઞ USA) તથા શ્રી પ્રિયમબેન પટેલ (USA) વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
અમેરિકા સ્થિત શ્રીમતી સ્વાતિબેન દેસાઈ દ્વારા સ્વ ખર્ચે આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી. તેઓએ તેમના માતા-પિતા પુજ્ય શ્રી સુરેશભાઈ ગોકુલદાસ શાહ તથા માતાશ્રી વીણાબેન શાહની સ્મૃતિમાં આ પ્રોજેક્ટ શરૂ કરેલ છે.
તેઓએ આ જ્ઞાન વર્ગો નો હેતુ અને શિક્ષણ નું મહત્વ સમજાવ્યું હતુ. આ નિશુલ્ક સેવાનો તમામ વાલીઓ સારી રીતે લાભ લેવા અને પોતાના બાળકોને નિયમિતતાથી આ વર્ગોમાં મોકલે તેવી અપીલ કરી હતી. બાળકોને પુસ્તકો, નોટબુક, પેન, પેન્સિલ તેમજ જરુરી સ્ટેશનરી નું વિતરણ કરવામાં આવ્યું હતું..
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756