આદિપુરના હેમા ગોલાણી દ્વારા ગણપતિ બાપ્પાનું ધામધૂમથી વિસર્જન

જાયન્ટ ગ્રુપ ઓફ ઈફ્કો સહેલીના એસ.એમ.ઓ હેમા ગોલાણી દ્વારા ગણપતિ બાપ્પાનું ધામધૂમથી વિસર્જન કરાયું
ગણેશ ચતુર્થી ના દિવસે જાયન્ટ ગ્રુપ ઓફ ઈફ્કો સહેલીના એસ.એમ.ઓ હેમા ગોલાણી દ્વારા ભક્તિભાવથી ગણપતિજીની સ્થાપના કરવામાં આવી, અને દસ દિવસ સુધી દિવસ – રાત પૂજા અર્ચના કરવામાં આવી, આ દસ દિવસ દરમિયાન દરરોજ બે ટાઈમ આરતી, ભક્તો માટે દરરોજનો ડ્રેસ કોડ, રાત્રિના સમયે રાસ ગરબાની રમઝટ,નાના બાળકો માટે સ્પર્ધા, ઈનામ વિતરણ, દરરોજ કન્યાઓનુ માતા લક્ષ્મીની જેમ સ્વાગત, અલ્પહાર વગેરે આયોજન પણ કરાયું હતું.
આજે અંતિમ દિવસે ગણેશજીની મૂર્તિને વાજતગાજતે આતિશબાજી સાથે ગુલાલ ઉડાડીને હસી ખુશીથી બાપ્પાને વિદાય આપી અને બાપ્પાને આવતા વર્ષે આવવાની પ્રાર્થના કરી, બાપ્પાને પરંપરાગત રીતે પાણીમાં વિસર્જિત કર્યા.
રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756