રાજુલાનાં ભેરાઇ ગામની જમીનમાં શરતભં ની કાર્યવાહી કરવાં માંગ.

રાજુલાનાં ભેરાઇ ગામની જમીનમાં શરતભં ની કાર્યવાહી કરવાં માંગ.
રાજુલાનાં ભેરાઇ ગામની જમીન એલ.સી.એલ.એજન્સી (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડને ફાળવેલ જમીનમાં શરતભંગ કાર્યવાહી કરવાં માંગ.
રાજુલા તાલુકાના મોજે.ભેરાઇ ગામ ની રે.સ.નં. ૬૦૩ / પૈકી ૧૯ પૈકી જમીનમાં દબાણ કરવા બાબતે યુવા કોળી સમાજ નાં પ્રદેશ પ્રમુખ રસિક ચાવડા કે મહેસૂલ વિભાગ ગાંધીનગર અને કલેકટર શ્રી અમરેલી ને રજૂઆત કરી હતી. આ રજૂઆત અન્વયે નાયબ કલેકટર અને સબ ડિવિજન મેજી. કચેરી, પ્રાંત કચેરી રાજુલા દ્વારા તા.૨૮/૦૧ /૨૨ ના રોજ મામલતદાર શ્રી રાજુલા ને જરૂરી તપાસ કરી આગળની કાર્યવાહી કરવા જણાવેલ તારીખ ૩૧/૩/૨૨ ના રોજ કલેક્ટર અને જિલ્લા મેજસ્ટ્રેટે કચેરી, જમીન શાખા અમરેલી દ્વારા મામલતદાર રાજુલા ને રજૂઆત પરત્વે યોગ્ય તપાસ કરી આ અંગે નો મામલતદાર શ્રી નો હક્કીકત લક્ષી અહેવાલ સ્પષ્ટ અભિપ્રાય સહ નાયબ કલેકટર શ્રી રાજુલા મારફત મોકલવા જણાવેલ . રેવન્યુ તલાટી એ અહેવાલમાં જણાવ્યું છે કે ઉપરોક્ત સર્વે નંબર વાળી જમીન કલેકટર શ્રી એ એલ.સી.એલ. ( ઇન્ડિયા ) પ્રાઇવેટ લિમિટેડ મુંબઈને સને ૨૦૦૯ માં કન્ટેનર યાર્ડ નાં ગોડાઉન બનાવવા માટે જમીન ફાળવવામાં આવેલ છે. જે હુકમની વિગતે શરત નંબર ૯ મુજબ હુકમની તારીખ થી છ માસમાં બાંધકામ શરૂ કરી બે વર્ષમાં પૂર્ણ કરવા અધોગિક હેતુ માટે ઉપયોગ કરવાનો રહેશે તેવી શરત છે, પરંતુ કંપની દ્વારા જમીન ફાળવણીના ૧૩ વર્ષ ઉપરાંત નો સમય પસાર થયેલો હોવા છતાં આજદિન સુધી જમીનનો કોઈ ઉપયોગ કરવામાં આવેલ નથી અને જમીન હાલમાં સ્થળે ખુલ્લી પડતર બાંધકામ કે ખોદકામ વગરની જોવા મળે છે. તેમજ જમીન પર ગાંડા બાવળ અને ઘાસ ઉગેલા જોવા મળે છે તે મતલબનું સ્થળ સ્થિતિ અંગેનું પંચ રોજકામ કરવામાં આવેલ હતું.આમ તમામ વિગતો તપાસતા કલેક્ટર અમરેલી નાં હુકમ ની શરત ૯ નો ભંગ થયાનું સાબિત થાય છે. જેથી કંપનીને ફાળવેલ જમીનમાં શરતભંગ ની કાર્યવહી કરવા માટે મામલતદાર શ્રી રાજુલાએ અભિપ્રાય આપ્યો છે. આગામી દિવસોમાં કલેકટર શ્રી દ્વારા સરકારશ્રી દાખલ કરવામાં આવે છે કે નહીં એ તો આવનારો સમય જ બતાવશે.અત્રે ઉલ્લેખનીય છે કે રાજુલા જાફરાબાદમાં અનેક ઔદ્યોગિક એકમો સરકારશ્રીએ ફાળવેલ સરકારી જમીનો આવેલ છે એમાં ધણાં ઉધોગોએ સરકારી જમીનોમાં શરતભંગ તથા ગૌચર ની જમીનો પર કબજો કરેલ છે તેમ છતાં તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી પરંતુ રસિક ચાવડ (પ્રદેશ પ્રમુખ યુવા કોળી સમાજ) એ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા પરિણામ લક્ષી કામગીરી થઈ છે. તો સરકારશ્રી દ્વારા રાજુલા જાફરાબાદ માં કંપનીઓ ને ફાળવવામાં આવેલ તમામ સરકારી જમીનોનું યોગ્ય સ્થળ તપાસ કરવામાં આવે અને પંચ રોજકામ કરવામાં આવે તો સરકારની ઘણી જમીનો મુક્ત થઈ શકે તેમ છે રસિક ચાવડા એ જાણવું હતું.
રિપોર્ટ – મહેશ વરૂ – રાજુલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756