લીલીયા તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે તા.૧૦ સુધીમાં અરજી કરવી

લીલીયા તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે તા.૧૦ સુધીમાં અરજી કરવી
અમરેલી : અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાનો તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ, લીલીયા મામલતદાર કચેરી ખાતે આગામી તા.૨૧ માર્ચ, ૨૩ને મંગળવારના રોજ સવારે ૧૧ વાગ્યે યોજાશે. તાલુકા કક્ષાના અધિકાર વાળા બાકી હોય તેવા સરકારી કામો માટે અરજદારે સામૂહિક કે નીતિ વિષયક પ્રશ્નો સિવાય અંગત પ્રશ્ન રજૂ કરવા માંગતા હોય તો તે અરજી તા.૧૦ માર્ચ,૨૩ના રોજ બપોરે ૩ વાગ્યા સુધીમાં રુબરુ કે ટપાલમાં પહોંચાડવી. અરજીના મથાળે ”તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” અવશ્ય લખવું, તેમ લીલીયા તાલુકા મામલતદારશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300