આર. પી. અનડા એજ્યુકેશન કોલેજ ખાતે પયૉવરણ શિબિર યોજાઈ

આર. પી. અનડા એજ્યુકેશન કોલેજ ખાતે પયૉવરણ શિબિર યોજાઈ
શ્રી આર.પી.અનડા કોલેજ ઓફ એજ્યુકેશન, બોરસદ આણંદ જિલ્લા દ્વારા મણીલક્ષ્મી તીર્થ ખાતે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અમૃત મહોત્સવ ૫૨ યુવા સંકલ્પ – શ્રેષ્ઠ ભારત કે પંચ પ્રકલ્પ) અંતર્ગત આયોજિત પર્યાવરણ સભાનતા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું . મણીલક્ષ્મી તીર્થ ખાતે મંદિર તથા બહુ મોટા પાયે વિવિધ વનસ્પતિઓ ધરાવતો બાગ છે. અહીં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વનસ્પતીઓની તથા આયુર્વેદિક વનસ્પતિઓનું વિદ્યાર્થીઓએ નિરિક્ષણ કર્યું તેમજ આયુર્વેદિક ઔષધો નો ઉપયોગ ક્યાં થાય છે તેવી બધી માહિતી મેળવી હતી. એક સુંદર મજના એક દિવસીય પર્યાવરણ સભાનતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આચાર્યશ્રી , ૩ અધ્યાપકો , ૨ બિન શૈક્ષણિક સ્ટાફ તથા ૪૪ જેટલા વિદ્યાથીઓએ આ પર્યાવરણ શિબિરમાં ભાગ લીધો હતો.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300