અમરેલી : વર્ષ એપ્રિલ-૨૦૨૩ થી માર્ચ-૨૦૨૪ સુધીના તમામ તાલુકા કક્ષાના સ્વાગત ફરિયાદ કાર્યક્રમ જાહેર

અમરેલી : વર્ષ એપ્રિલ-૨૦૨૩ થી માર્ચ-૨૦૨૪ સુધીના તમામ તાલુકા કક્ષાના સ્વાગત ફરિયાદ કાર્યક્રમ જાહેર
Spread the love

અમરેલી જિલ્લાના તમામ તાલુકાઓ માટે વર્ષ એપ્રિલ-૨૦૨૩ થી માર્ચ-૨૦૨૪ સુધીના તમામ તાલુકા કક્ષાના સ્વાગત ફરિયાદ કાર્યક્રમ જાહેર

જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ કાર્યક્રમ મુજબ તાલુકા ફરિયાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

અમરેલી : રાજ્યસ્તરે લોકોના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ આવે અને લોકોને સરળતાથી ન્યાય મળે તે હેતુથી ફરિયાદ નિવારણ માટેનો સ્વાગત કાર્યક્રમ અમલમાં છે. લોકોને જિલ્લા કે રાજ્ય સ્તર સુધી જવું ન પડે તે માટે તાલુકા કક્ષાએ દર માસે પણ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે. તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમનો લાભ વધુમાં વધુ નાગરિકો મેળવી શકે તે માટે રાજ્યની સંવેદનશીલ રાજ્ય સરકારે કર્યું છે. જેને લક્ષમાં લેતાં આગામી વર્ષ ૨૦૨૩-૨૪માં યોજાનાર તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ સંચાલન માટે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી મુજબ જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, પોલીસ અધિક્ષકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી, અમરેલી, લાઠી, ધારી, સાવરકુંડલા, રાજુલા, બગસરાના નાયબ કલેક્ટરશ્રીઓ સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેશે. તાલુકાકક્ષાના સ્વાગત કાર્યક્રમોનું સંચાલન કરશે. જિલ્લાના તમામ તાલુકાઓ માટે વર્ષ એપ્રિલ-૨૦૨૩ થી માર્ચ-૨૦૨૪ સુધીના તમામ તાલુકા કક્ષાના સ્વાગત ફરિયાદ કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યા છે.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!