“વિકાસ ખાડે પડ્યો છે” શાખપુર કલ્યાણપર રોડ બિસ્માર

“વિકાસ ખાડે પડ્યો છે”
શાખપુર થી કલ્યાણપર રોડ અતિ બિસ્માર હાલતમાં રસ્તો નહિ બનાવો તો ઉગ્ર આંદોલન કરવા ફરજ પડશે સરપંચ ની ચેતવણી
લાઠી તાલુકા ના શાખપુર થી કલ્યાણપર રોડ અતિ બિસ્માર હાલતમાં રસ્તો નહિ બનાવો તો ઉગ્ર આંદોલન કરવા ફરજ પડશે સરપંચ ની ચેતવણી
શાખપુર થી અમરેલી જવા માટે શાખપુર છેવાડા નું ગામ હોવાથી આ શાખપુર કલ્યાણપર રોડ થી અમરેલી નજીક પડે અવર નવર તાલુકા અને જિલ્લા સંકલન સમિતિ અને મુખ્યમંત્રી વેબ પેજ ઉપર શાખપુર સરપંચ શ્રી જશુભાઈ ખુમાણે રજૂઆત કરી હોવા છતાં આ રોડ બનાવવામાં આવતો નથી
ડામર રોડ નો નકશો પણ નથી રહ્યો અને વિકાસ ખાડે પડ્યો હોય તેવું લાગી રહ્યું છે જેથી નાયબ કાર્યપાલક ઇજનેર જિલ્લા પંચાયત બિલ્ડીંગમાં શાખપુર સરપંચ શ્રી રૂબરૂ મુલાકાત લઇ આ બાબતે તાત્કાલિક ઘટતું કરવા અને શાખપુર કલ્યાણપર ડામર રોડ બનાવવા રજૂઆત કરી છે આ અગાઉ પણ અનેક વખત રજૂઆત થઈ ગઈ છે જેથી વહેલી તકે રોડ બનાવવા યોગ્ય રજૂઆત કરાય
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300