જૂનાગઢ તાલુકા (શહેર) સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

જૂનાગઢ તાલુકા (શહેર) સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
Spread the love

મુખ્યમંત્રી દ્વારા લોકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે જૂનાગઢ તાલુકા (શહેર) સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

જૂનાગઢ : મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં જૂનાગઢ તાલુકા(શહેર) માટે તા.૨૬/૦૪/૨૦૨૩ના સવારે ૧૧ કલાકે મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ કચેરી, તાલુકા સેવા સદન સરદારબાગ, જૂનાગઢ ખાતે યોજાનાર કાર્યક્રમ માટે જૂનાગઢ તાલુકા શહેર કક્ષાના પ્રશ્નો/ફરિયાદો તા.૧૦/૦૪/૨૦૨૩ સુધીમાં તાલુકા મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટ, જૂનાગઢ(શહેર) ને પહોંચાડી આપવા સંબંધકર્તા લોકોને વિનંતી કરવામાં આવેલ છે. અરજીના મથાળે જૂનાગઢ (શહેર) તાલુકા માટેનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ લખવાનું રહેશે. 

મુખ્યમંત્રીશ્રીનો સ્વાગત ઓનલાઇન(ફરિયાદ નિવારણ) કાર્યક્રમમાં કોઇપણ અરજદારને અરજી કરતા પહેલા શહેરી વિસ્તારના પ્રશ્ન હોય તો સીટી તલાટીશ્રીને પ્રથમ અરજી કરેલ હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય, તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રશ્ન અંગે લેખિતમાં રજૂઆત કરેલ હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય, આ કાર્યક્રમમાં રજૂ થતાં પ્રશ્નો શહેર કક્ષાએ જ નિર્ણય લઇ શકાય તેવા હોવા જોઇએ, આ કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નના આધાર પુરાવા સાથે રજૂઆત કરી શકશે અને આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજૂઆત કરી શકશે, સામુહિક રજૂઆતો નહિ થઇ શકે. આમ, આ પ્રકારની અરજીઓ રજૂ થઇ શકશે.

તેમજ મુદ્દત બાદની અરજીઓ, અસ્પષ્ટ રજૂઆતવાળી અરજીઓ, એક કરતા વધુ વિભાગ/કચેરીના પ્રશ્નો, સુવાચ્ય ન હોય તેવી અરજીઓ, નામ-સરનામા વગરની અરજીઓ, વ્યક્તિગત આક્ષેપોવાળી અરજીઓ, નીતિ-વિષયક પ્રશ્નો, ચાલુ સરકારી કર્મચારીના સેવા વિષાયક પ્રશ્નો, કોર્ટ મેટર, દિવાની પ્રકારની ખાનગી તકરારો, અપીલ થવાપાત્ર કેસો વાળી અરજીઓ, અરજદારને સ્વયં સ્પર્શતા ન હોય તેવા પ્રશ્નો, અરજદારે તેમની રજૂઆત અંગે સંબંધિત કચેરી/ખાતાનો એકવાર પણ સંપર્ક કર્યા સિવાય પ્રથમ વખત સીધા જ આ કાર્યક્રમમાં રજૂ કરેલ પ્રશ્ન અને અગાઉના સ્વાગત કાર્યક્રમમાં રજૂ થયેલ પ્રશ્નોની અરજીઓ રજૂ થઇ શકશે નહીં. તેમ જૂનાગઢ(શહેર) મામલતદારની યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!