જિલ્લા રોજગાર કચેરી દ્વારા અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી તા.૦૨ જુનના રોજ ભરતી મેળો યોજાશે

જિલ્લા રોજગાર કચેરી દ્વારા અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી તા.૦૨ જુનના રોજ ભરતી મેળો યોજાશે
અમરેલી : અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી નિયમિત ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. ખાનગી ક્ષેત્રના એકમ સીનોવા ગીયર્સ એન્ડ ટ્રાન્સમિશન પ્રા.લી. પીપલિયા જિ.રાજકોટ માટે ૧૮ થી ૪૫ વર્ષની વય ધરાવતા હોય, ખાલી જગ્યાઓને અનુરુપ શૈક્ષણિક લાયકાત ડિપ્લોમા, ગ્રેજ્યુએટ તેમજ આઈ.ટી.આઈ તમામમ ટ્રેડની તકનીકી લાયકાત ધરાવનારા તમામ ઉમેદવારો અરજી કરી શકે છે. જ્યારે શિવ શક્તિ એગ્રીટેક લીમીટેડ અમદાવાદ માટે સેલ્સ એન્ડ માર્કેટિંગની જગ્યાઓ માટે ૧૮ થી ૩૫ વર્ષની વય તેમજ ધો.૧૦ અને ધો.૧૨ પાસની શૈક્ષણિક લાયકાત ધરાવનાર માટે ભરતીમેળાનું આયોજન આગામી તા.૦૨ જુન, ૨૦૨૩ને શુક્રવાર રોજ સવારે ૧૧ વાગ્યે ઔદ્યોગિક તાલીમ સંસ્થા, લાઠી રોડ, અમરેલી ખાતે કરવામાં આવ્યું છે. અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી ભરતી મેળો યોજાશે. આ ભરતી મેળામાં ભાગ લેનાર રોજગાર ઇચ્છુકોએ ઉપસ્થિત રહેવું. આ ઉપરાંત અનુબંધમ પોર્ટલ http://anubandhan.gujarat.gov.in/account/signup પર આધાર કાર્ડ, શૈક્ષણિક લાયકાતના દસ્તાવેજો સાથે જોબ સીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. નોંધણી થયા બાદ પોર્ટલ પર લોગ ઇન કરીને પોર્ટલ પર જોબ ફેરના મેનુમાં ક્લિક કરી જરુરી વિગત ભર્યા બાદ જોબ ફેરમાં ભાગ લઈ શકશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, અમરેલીના કોલ સેન્ટર નંબર ૬૩૫૭૩ ૯૦૩૯૦ પર સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
રિપોર્ટ : પ્રતાપભાઈ વરૂ
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
અમરેલી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300