અમરેલી જીલ્લામાં નવનિર્માણ પામેલ અમૃત સરોવર સુવિધા યુક્ત બનાવવા વિવિધ કાર્યક્રમો યોજાશે.

અમરેલી જીલ્લામાં નવનિર્માણ પામેલ અમૃત સરોવર સુવિધા યુક્ત બનાવવા વિવિધ કાર્યક્રમો યોજાશે.
ગ્રામજનો વિવિધ સંસ્થાઓ અને સરકારી વિભાગ દ્વારા તૈયારીઓ ચાલુ કરવામા આવી.
રાજ્ય સરકાર દ્વારા અમરેલી જીલ્લામાં નવા બનાવેલ અમૃત સરોવરને સુવિધાયુકતા બનાવવા માટે આયોજનના ભાગરૂપે અમરેલી જીલ્લા વિકાસ અધિકારી દિનેશ ગૌરવના અધ્યક્ષ સ્થાને અમરેલી જીલ્લાના અમૃત સરોવર માટે વીડિઓ કોન્ફોરન્સ યોજાય હતી જેમાં આગામી સ્વતંત્રતા પર્વ 15મી ઓગસ્ટની ઉજવણીના ભાગ રૂપે અમૃત સરોવરો ખાતે ધ્વજવંદનના કાર્યક્રમ યોજવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી આવિષય પર જિલ્લા વિકાસ અધિકારીએ તમામ લોકોને સંબોધતા જણાવ્યું હતુંકે આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત 75 અમૃત સરોવર ખાતે ગત 26મી જાન્યુઆરીનાં પર્વ નિમિત્તે પણ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો ત્યારે આગામી 15મી ઓગસ્ટનાં પર્વ પર પણ અમૃત સરોવર ખાતે ધ્વજવંદનનો વિશેષ કાર્યક્રમ યોજવા માટે તમામ તૈયારીઓનો પ્રારંભ કરી દેવામાં આવીછે આવીડિઓ કોન્ફોરન્સ નિયામક દ્વારા ગામોમાં સરોવરની કામગીરીની ગુણવત્તા અમૃત સરોવરનાં નિર્માણ બાદ ભૂગર્ભ જળસ્તરમાં થયેલો વધારો જેસરોવરની કામગીરી પૂર્ણ થઈ ગઇ હોય ત્યાં સરોવરની સ્વચ્છતા, સુશોભન અને ઉપયોગીતા જેમકે, બોટિંગ, ફિશિંગ, ખેતીની સિંચાઈ માટે પાણીનો ઉપયોગ થતો હોયતો લાભાર્થી ખેડૂતોની સંખ્યા બાબતે અને ગામનું સરોવરને તહેવાર અને વિવિધ ઉજવણીના સ્થળ તરીકે બનાવવા માટે સ્થાનિકો સાથે ચર્ચા કરી હતી વડાપ્રધાનની સંકલ્પના મુજબ અમૃત સરોવરને સુવિધાયુક્ત તેમજ સામાજિક સ્થળ બનાવવા માટે લેવા પાત્ર પગલાંઓ વિશે આયોજન બાબતે વિશેષ ચર્ચા કરી હતી અમરેલી જીલ્લાના 16 ગામના પંચાયત અધિકારી અને પંચાયતીરાજના પદાધિકારી, ખેડૂત આગેવાન અને તાલુકા વિકાસ અધિકારી સહિત ગ્રામજનો બહોળી સંખ્યામાં જોડાયા હતા તેમ મનરેગા યોજનાન એપીઓ કલ્પેશ કુબાવતે જણાવ્યું હતું.
રિપોર્ટ : અમિતગીરી ગોસ્વામી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300