રાજુલાના ધાતરવડી ડેમમાંથી ગુમ થયેલા ૧૭ વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી.

રાજુલાના ધાતરવડી ડેમમાંથી ગુમ થયેલા ૧૭ વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી.
રાજુલા શહેરના ધાતરવડી ડેમ-૨ માંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો ત્યારે ત્રણ દિવસ પહેલા આ યુવક ગુમ થયા હોવાના સોશીયલ મિડિયામા ફોટાઓ વાઇરલ થયા હતાં. ત્યારે આજે ધાતરવડી ડેમમાંથી ૧૭ વર્ષીય યુવક રાજુ હુસેનભાઇ જોખીયાની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પરીવારજનોમા શોકનુ મોજુ ફરી વળયુ હતું. યુવકને લાશને રાજુલા હોસ્પિટલ ખસેડવામા આવી હતી. આ ધટનાની જાણ થતાં મુસ્લિમ સમાજના આગેવાનો-અગ્રણીઓ તેમજ રાજુલા પોલીસ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. યુવકને ફોરેન્સીક પીએમ અર્થે ભાવનગર ખસેડવામા આવેલ છે. જાણવા મળતી મુજબ રાજુલાના બીડીકામદાર વિસ્તારમા રહેતા રાજુભાઇ હુસેનભાઇ જોખીયા જેઓ ત્રણ દિવસ પહેલા ઘરેથી નિકળી ગયા હતાં ત્યારબાદ પરીવાર દ્વારા શોધખોળ કરવામા આવી હતી તેમજ ગુમ થયા હોવાના ફોટાઓ પણ સોશિયલ મીડિયામા વાઇરલ કરવામા આવ્યાં હતાં. જે બાદ આજે ગુમ થયેલ યુવકની લાશ રાજુલાના બાઈપાસ રોડ પર આવેલ ધાતરડી ડેમ-૨ માંથી લાશ મળી આવતા પરીવારજનોમા શોકનુ માહોલ છવાયો હતો. સમ્રગ મામલે રાજુલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટ – મહેશ વરૂ – રાજુલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300