અમરેલી જિલ્લામાં ઇવીએમ તથા વીવીપેટ નિદર્શન અને મતદાર જાગૃત્તિ અર્થે રથનું પરિભ્રમણ

અમરેલી જિલ્લાના વિવિધ ગામમાં ઇવીએમ તથા વીવીપેટ નિદર્શન અને મતદાર જાગૃત્તિ અર્થે રથનું પરિભ્રમણ
અમરેલી : લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે ઇવીએમ તથા વીવીપેટ નિદર્શન અને મતદાર જાગૃત્તિ અર્થે રથ પરિભ્રમણ કરી રહ્યા છે. આ અંતર્ગત અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વડાલી, ઝાંઝરડા, કુંડીયાળા, મોટા રીંગણીયાળા, ખાંભા તાલુકાના સરકડીયા, પાટી, રાયડી, કોડીયા, બાબરા તાલુકાના કીડી, લીલીયા તાલુકાના એકલેરા, બગસરા તાલુકાના જામકા, જેઠીયાવદર સહિતના ગામોમાં મતદાર જાગૃતિ રથ પહોંચ્યા હતા. ચૂંટણી ફરજ પરના કર્મયોગીઓ દ્વારા આ રથ દ્વારા ઈ.વી.એમ. વિશેની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યા હતા. મતદાન માટેની પ્રક્રિયા અંગે જાગૃતિ પ્રસરાવવામાં આવી હતી.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300