વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નિરંકારી ભક્તોએ વૃક્ષારોપણ કરી સ્વચ્છતાની સુગંધ ફેલાવી..

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નિરંકારી ભક્તોએ વૃક્ષારોપણ કરી સ્વચ્છતાની સુગંધ ફેલાવી..
Spread the love

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નિરંકારી ભક્તોએ વૃક્ષારોપણ કરી સ્વચ્છતાની સુગંધ ફેલાવી..

સુરત : સંત નિરંકારી મિશન દ્વારા આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ૧૮ પહાડી પ્રવાસન સ્થળો પર વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

સતગુરુ માતા સુદીક્ષાજી મહારાજના આશીર્વાદથી ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે નિરંકારી સેવાદાર ભક્તોએ સાપુતારામાં ૧૦૦ થી વધુ રોપાઓ વાવીને સ્વચ્છતાની સુવાસ ફેલાવી હતી. મિશનના યુવા સ્વયંસેવકોએ “બીટ પ્લાસ્ટિક પોલ્યુશન” થીમ પર સુંદર શેરી નાટકો રજૂ કરીને લોકોને પર્યાવરણીય સંકટ વિશે જાગૃત કર્યા હતા. તમામ સ્વયંસેવકોએ પર્યાવરણ સંરક્ષણના સંદેશા સાથેના પ્લેકાર્ડ અને બેનરોનો ઉપયોગ કરીને માનવ સાંકળ પણ બનાવી હતી.

સંત નિરંકારી મિશન વર્ષ ૨૦૧૪થી યુનાઇટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામના પર્યાવરણીય કાર્યક્રમની થીમ પર ‘વિશ્વ પર્યાવરણ દિવસ’નું આયોજન કરતું આવ્યું છે, દર વર્ષની જેમ આ વર્ષે પણ નિરંકારી મિશન દ્વારા સમગ્ર ભારતમાં ૧૮ પહાડી પ્રવાસન સ્થળોએ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના *સાપુતારા* નો સમાવેશ કરવામાં આવ્યો હતો. અન્ય રાજ્યોમાં મહાબળેશ્વર, પંચગની, ખંડાલા, લોનાવાલા, પન્હાલા, ઉત્તરાખંડથી મસૂરી, ઋષિકેશ, લેન્સડાઉન, નૈનીતાલ, ચકરાતા, ભવાલી, હિમાચલ પ્રદેશના શિમલા, મનાલી, ધર્મશાલા, સિક્કિમના ગીઝિંગ ટાઉન અને કર્ણાટકના પહાડી વિસ્તારોનો સમાવેશ થાય છે.

દક્ષિણ ગુજરાતના સંત નિરંકારી મિશનના પ્રભારી મહા.શ્રી ઓમકારસિંહે જણાવ્યું હતું કે આજે જ્યારે પૃથ્વી ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહી છે ત્યારે વૃક્ષારોપણનું મહત્વ વધુ વધી ગયું છે. વર્ષ ૨૦૨૦ થી કોરોના સંકટે આપણા બધાને કુદરતની અમૂલ્ય ભેટ પ્રાણવાયુ એટલે કે ઓક્સિજનનું મહત્વ સમજાવ્યું છે,તેની ઉણપથી થતી તમામ આડઅસરથી પણ અમને સારી રીતે અવગત્ કર્યા છે. આપણે એ જાણવું જોઈએ કે માનવ જીવન જેના પર આધારિત છે તે પ્રાણવાયુ આ વૃક્ષોમાંથી જ પ્રાપ્ત થાય છે તેથી તેમનું રક્ષણ કરવું એ આપણી ફરજ જ નહી પણ આપણા જીવન માટે પણ મહત્વપૂર્ણ છે.

વાપી સેક્ટરના સંયોજક મહા.શ્રી સુરેશભાઈ સોલંકીએ વૃક્ષારોપણ કરનાર તમામ સભ્યોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે પૃથ્વીને સુંદર બનાવવાનું આ એક પ્રશંસનીય અને સરાહનીય પગલું છે જેના અનુસરણથી પૃથ્વીને વધુ સ્વચ્છ-સુંદર અને નિર્મળ બનાવી શકાય છે.

રિપોર્ટ : વિનોદભાઈ માછી નિરંકારી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!