મહાશિવરાત્રીના મેળામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન

મહાશિવરાત્રીના મેળામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન
સ્થાનિક કલાકારોને સ્ટેજ મળશે તેમજ જાણીતા કલાકારો વિવિધ કૃતિઓ ભજન અને શિવ આરાધના પ્રસ્તુત કરશે
જૂનાગઢના ભવનાથમાં યોજાતા મહાશિવરાત્રીના મેળામાં જિલ્લા વહીવટી તંત્રના સાંસ્કૃતિક કાર્યક્રમ એક આગવી ઓળખ ધરાવે છે. અહીં આ વખતે સાંસ્કૃતિક કાર્યક્રમમાં સ્થાનિક કલાકારોને અગ્રતા અપાતા જાણીતા કલાકારોની સાથે સ્થાનિક કલાકારોની ટીમને પણ સ્ટેજ મળશે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું સ્થળ જે અગાઉના વર્ષોમાં સાંસ્કૃતિક કાર્યક્રમનો સ્થાયી મંચ ભવનાથ મંદિરથી આગળ ઝોનલ ઓફિસ પાસે છે તે આ વખતે રહેશે. તા. 22 થી 25 ફેબ્રુઆરી સુધી સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થશે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300